ખૂબ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. દેવી-દેવતાઓની પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં દૈવીય અને ઔષધિય ગુણ રહેલા છે. પુરાણોમાં પણ તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે. કહેવામાં આવે છે કે, તુલસીમાં ભગવાનનો વાસ હોય છે અને તેને ઘરના આંગણામાં લગાવવામાં આવે છે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. તુલસી બે પ્રકારની હોય છે. એક લીલા પાનવાળી તુલસી જેની રામા તુલસી અને હળવા કાળા રંગની તુલસી જેને શ્યામા તુલસી કહેવામાં આવે છે. લીલા પાનવાળી તુલસી બાળકો માટે અને શ્યામા તુલસી મોટા લોકો માટે લાભદાયી છે.
વૈજ્ઞાનિક મહત્વ

તુલસીના પાનની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે. તુલસીના સેવનથી શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ દૂર થઈ જાય છે. એક રિસર્ચ અનુસાર તુલસીના પાનમાં કેન્સર જેવી મોટી બીમારીઓ દૂર કરવાની પણ ક્ષમતા રહેલી છે. આ ઉપરાંત તેના પાન અને બીનું સેવન કરવાતી નપુંસકતા ખતમ થઈ જાય છે.
તુલસીનું પૂજા વિધાન

તુલસીના કોઈપણ છોડને ગુરુવારે લગાવી શકાય છે. જોકે, કારતક મહિનો આના માટે સર્વોત્તમ છે. કારતક મહિનામાં જ તુલસીના વિવાહ થયા હતા. છોડ સાંજ અથવા સવારના સમયે લગાવો. તેની પૂજા અને વિવાહ કરવાથી સારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તુલસીનો છોડ ઘરની વચ્ચે અથવા આંગણામાં લગાવો. જો તમારા ઘરમાં આંગણું ન હોય તો બાલ્કનીમાં લગાવી શકો છો. આને એવી બાલ્કનીમાં લગાવો છે બેડરૂમની નજીક હોય. રોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્ય તથા તુલસીને પાણી અર્પણ કરો. બાદમાં ઓછામાં ઓછી સાત વાર તુલસીની પરિક્રમા કરો. રોજ તુલસીની નીચે ઘીનો દીવો કરો, આનાથી ફાયદો થશે.
પૂજામાં રાખો સાવધાની

તુલસીના પાન સવારે જ તોડવા જોઈએ, અન્ય કોઈ સમયે તોડવા શુભ માનવામાં આવતું નથી. તુલસીના પાન ક્યારેય વાસી થતા નથી એટલે તેને તોડ્યા બાદ ઘણા દિવસો સુધી પૂજામાં વાપરી શકાય છે. રવિવારના દિવસે તુલસીને પાણી તો ચઢાવી શકાય છે પણ તેના નીચે દીવો કરવો યોગ્ય નથી. ભગવાન ગણેશ અને દુર્ગા માતાને ક્યારેય તુલસી ન ચડાવો. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે, જ્યાં તુલસી વાવી છે ત્યાં ગંદકી ન થાય.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2UCoArd
No comments:
Post a Comment