દાહોદ: વિજય રુપાણીએ આજે દાહોદમાં એક જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, જો મહાગઠબંધનને ભૂલથી પણ બહુમતી મળી ગઈ તો સવારનો વડાપ્રધાન જુદો હશે, બપોરનો વડાપ્રધાન જુદો હશે, સાંજે કોઈ બીજું આવશે અને રાતનો રાજા બીજો કોઈ હશે. રુપાણીએ કહ્યું હતું કે, ભાજપ પોણા ચારસો બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે, એટલે તેને બહુમતી મળવાનું નક્કી છે.
કોંગ્રેસ અને મહાગઠબંધન પર પ્રહારો કરતા રુપાણીએ જણાવ્યું હતું કે, બધાના પેટમાં પાપ છે, બધાને વડાપ્રધાન થવું છે. રુપાણીએ મહાગઠબંધનને પીએમ કેન્ડિડેટ જાહેર કરવાનો પણ પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહાગઠબંધને આજ સુધી પીએમ કેન્ડિડેટની જાહેરાત નથી કરી અને કરશે પણ નહીં. બધાને એમ છે કે 30-35 બેઠકો મેળવીને સરકારમાં ઘૂસી જવું છે.
રુપાણીએ કહ્યું હતું કે, મહાગઠબંધન દેશમાં સ્થિર સરકાર નહીં આપી શકે, અને દેશમાં અરાજકતા અને અસ્થિરતા આવશે. દેશ આગળ વધવાને બદલે પાછો ધકેલાઈ જશે. તેમણે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં એક તરફ સર્વધર્મ સમભાવ છે, અને બીજી તરફ ઢોંગી બિનસાંપ્રદાયિકતા છે. તેમણે કહ્યું હતું કે ભાજપનો મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ છે.
દેશના તમામ સંસાધનો પર તમામ ધર્મના ગરીબોનો પહેલો હક્ક છે. રુપાણીએ મતબેંક માટે બહુમતીને અન્યાયનો આક્ષેપ પણ કોંગ્રેસ પર મૂક્યો હતો. કોંગ્રેસ પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ મૂકતા રુપાણીએ કહ્યું હતું કે, બાલાકોટ સ્ટ્રાઈક કરી જવાનો પાછા આવ્યા ત્યારે પુરાવા માગી કોંગ્રેસે તેમનું અપમાન કર્યું.
from I Am Gujarat http://bit.ly/2IIFL7Q
No comments:
Post a Comment