‘મંથરા’નો રોલ ભજવી ફેમસ થયા લલિતા

રામાનંદ સાગરની ચર્ચિત ધારાવાહિક સીરિયલ રામાયણમાં મંથરાનો રોલ ભજવી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ લલિતા પવારની આજે જન્મતિથિ છે. લલિતા પવાર હિંદી સિનેમાના તે અભિનેત્રીઓમાંથી એક હતા, જેમણે ફિલ્મોની સાથે-સાથે ટીવીના નાના પડદા પર પણ નામના મેળવી હતી. લલિતા પવારનો જન્મ 18 એપ્રિલ, 1916ના રોજ નાસિકમાં થયો હતો. જ્યારે 24 ફેબ્રુઆરીએ 1198માં પુણેમાં તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બાળ કલાકાર તરીકે શરુ કર્યું કામ

બી ટાઉનમાં આજે પણ લોકો તેમને લલિતાના નામથી ઓળખે છે, પરંતુ તેમનું સાચું નામ અંબા લક્ષ્મણ રાવ હતું. લલિતા પવારે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. પહેલીવાર તેઓ એક મૂક ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે માટે તેમને માત્ર 18 રૂપિયા ફી મળી હતી. માત્ર 12 વર્ષની ઉંમરે 1928માં તેમણે ફિલ્મ રાજા હરિશચંદ્રમાં કામ કર્યું હતું.
લલિતા પવાર સાથે બની આવી ઘટના

યુવાનીના દિવસોમાં લલિલા પવાર ઘણા સુંદર હતા. તેઓ જેટલી સારી એક્ટિંગ કરતા હતા એટલું જ સારું ગાતા પણ હતા. તેઓ સતત સફળતાની સીડી ચડી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે એવી ઘટના બની જેમણે તેમનો આખો ચહેરો ખરાબ કરી નાખ્યો. 1942માં ફિલ્મ જંગ-એ-આઝાદીના શૂટિંગ દરમિયાન એક્ટર ભગવાન દાદાએ લલિતાને થપ્પડ મારવાની હતી. પરંતુ તેમણે એટલી જોરથી થપ્પડ મારી કે લલિતા પવાર નીચે પડી ગયા અને તેમના કાનમાંથી લોહી વહેવા લાગ્યું. જે બાદ ડોકટરે તેમને કોઈ ખોટી દવા આપી દેતા તેમના શરીરનો જમણી બાજુનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો.
કામ મળવાનું પણ બંધ થઈ ગયું

લકવાગ્રસ્ત થઈ જવાના કારણે લલિતા પવારની કરિયર પર બ્રેક લાગી ગઈ. તેમની જમણી આંખ સુકાઈ ગઈ અને તેમનો ચહેરો ખરાબ થઈ ગયો. તેમના આવા ચહેરાના કારણે કોઈ પણ તેમના કામ આપવા તૈયાર નહોતું. લાંબા સમય બાદ 1948માં ડાયરેક્ટર એસએમ યૂસુફની ફિલ્મ ગૃહસ્થીમાં તેમને રોલ મળ્યો.
બેવાર કર્યા લગ્ન

લલિતા પવારે બેવાર લગ્ન કર્યા હતા. પહેલા તેમણે ગણપન રાવ પવાર સાથે લગ્ન કર્યા, લગ્ન બાદ જાણ થઈ કે તેમના પતિનું તેમની નાની બહેન સાથે અફેર ચાલી રહ્યું છે. જે બાદ તેમણે છુટાછેડા લીધા હતા અને બાદમાં તેમણે પ્રોડ્યૂસર રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક દીકરો પણ થયો.
ત્રણ દિવસ બાદ ઘરમાંથી મળી લાશ

કરિયર દરમિયાન 700 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે પુણેમાં પોતાના નાના એવા બંગલામાં પ્રાણ ત્યજી દીધા હતા. તે સમયે તેમના પતિ રાજપ્રકાશ ગુપ્તા હોસ્પિટલમાં હતા અને તેમનો દીકરો તેના પરિવાર સાથે મુંબઈમાં હતો. તેમના મૃત્યુના સમાચાર ત્રણ દિવસ બાદ મળ્યા જ્યારે તેમના દીકરાએ ફોન કર્યો અને કોઈએ ઉઠાવ્યો નહીં. જે બાદ ઘરનો દરવાજો તોડવા પર પોલીસને લલિતા પવારની ત્રણ દિવસ જૂની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2v7vTN6
No comments:
Post a Comment