ચોથ માતા મંદિર

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલ બરવાડા ગામમાં દેશનું એકમાત્ર ચોથ માતા મંદિર આવેલું છે. આ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે. આ મંદિર પરિસરમાં ચોથ માતા મંદિર ઉપરાંત ભગવાન ગણેશ ઉપરાંત ભૈરવનું પણ મંદિર આવેલું છે. જેથી ચોથના દિવસે અહીં ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
સંકટ ચતુર્થીના દિવસે દર્શન માટે લાગે છે ભીડ

તેમાં પણ સંકટ ચોથના દિવસનો મહિમા અધીક હોય છે. આ મંદિરમાં પ્રત્યેક ચોથના દિવસે વિશાળ જનમેદની દર્શન માટે એકઠી થાય છે. આ દિવસે બરવાડામાં વિશાળ મેળો પણ ભરાય છે. ઇતિહાસ અનુસાર આ મંદિરની સ્થાપના ભીમસિંહ ચૌહાણે કરી હતી. બરવાડા અરવલ્લીની પર્વત શ્રૃંખલામાં વસેલા મીણા અને ગુર્જર બહુમતીવાળો વિસ્તાર છે. આ મંદિર લગભગ 1 હજાર ફૂટ ઉપર પર્વત પર આવ્યું છે.
પર્યટનની દ્રષ્ટીએ પણ મહત્વનું કેન્દ્ર

આ સ્થાન પર્યટકો માટે પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય પણ મન મોહી લે તેવું છે. આ જગ્યાએ તમને અનેક જગ્યાએ સફેદ સંગેમરમરના બનેલા સ્મારક, છત્રીઓ અને શિલાલેખ જોવા મળશે. આ મંદિરની વાસ્તુકળા પરંપરાગત રજપૂતાના શૈલીની છે.
ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ
મંદિર સુધી પહોંચવા માટે લગભગ 700 જેટલા પગથીયા ભક્તોએ ચઢવા પડે છે. અહીં મળતા રેકોર્ડ મુજબ ઇ.સ. 1452માં મંદિરનો જીર્રણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ આ મંદિરની સ્થાપના 1394ની આસપાસ મહારાજા ભીમ સિંહ દ્વારા કરવામાં આવી હતી. શાસ્ત્રો મુજબ ચોથ માતાને માતા પાર્વતીનું સ્વરુપ માનવામાં આવે છે. મંદિરના સ્થાપના દિવસ ભારતીય કેલેન્ડર પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની ચોથ છે. આ દિવસે અહીં દુનિયાભરમાંથી ભક્તો ભેગા થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2KV8rxf
No comments:
Post a Comment