Latest

Wednesday, April 3, 2019

ઉર્મિલા માતોંડકર પર ભડકી આ એક્ટ્રેસ, હિંદુઓનું બ્રેન વોશ કરવાનો લગાવ્યો આરોપ

ઉર્મલા પર ભડકી એક્ટ્રેસ

બોલિવુડ એક્ટ્રેસ પાયલ રોહતગી થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ થઈ ગઈ છે. ટ્વિટર પર ગૌહર ખાન સાથે બાથ ભીડ્યા બાદ હવે તેણે એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર પર પ્રહારો કર્યા છે. ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટી જોઈન કરતા પાયલ રોહતગીએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે જો તે સત્યનો માર્ગ પકડીને ચૂંટણી લડશે તો તે એક મજબૂત મહિલા ગણાશે. ઉર્મિલાએ તો ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ પણ બદલી દીધું હતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘હું ઉર્મિલાની ફેન રહી છું’

પાયલ રોહતગીએ કહ્યું કે, ‘આપણે બધા 2019ની ચૂંટણીને લઈને ખુબ ઉત્સાહિત છીએ. હું ઉર્મિલા માતોંડકરની ફેન રહી છું. એક મહિલા તરીકે રાજનીતિમાં જોડાઈને મુંબઈ નોર્થથી ચૂંટણી લડવાના તેના નિર્ણયની પ્રશંસા કરૂ છું. જીવનમાં પોતાના નિર્ણયો તે જાતે લઈ રહી છે તે વાત મને ગમી. તેણે પોતાની મરજીથી કાશ્મીરી યુવક સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ પોતાનું ઓફિશ્યલ નામ અને ધર્મ પણ બદલી નાખ્યો. હવે તેનું નામ મરિયમ અખ્તમ મીર છે’.

‘ઉર્મિલા ખોટી વસ્તુને પ્રમોટ કરે છે’

પાયલે વીડિયોમાં વધુમાં કહ્યું કે, ‘ઉર્મિલા ન તો સગીરા છે કે ન તો તેમનું બ્રેઈન વોશ કરાયું છું. મને માત્ર તે વાત જ ગમતી નથી કે તે એક ખોટી વસ્તુને પ્રમોટ કરી રહી છે, જે રીતે તેની પાર્ટી કોંગ્રેસ કરતી આવી છે. કારણ કે તેના પોલિટિક્સ કરિયરને આગળ વધારવા કોંગ્રેસ પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. તે તેની પાર્ટી સાથે વિશ્વાસઘાત કરી શકે નહીં’.

‘તે એક કન્વર્ટ મુસ્લિમ છે’

પાયલે જણાવ્યું કે, ‘ઉર્મિલાએ થોડા દિવસ પહેલા જ ટ્વિટર પર એક અકાન્ટ બનાવ્યું છે, જેમાં તેણે લખ્યું છે કે તે સત્યની સાથે છે. તે મહાત્મા ગાંધીની વિચારધારા સાથે રાજનીતિમાં આવી છે. ઉર્મિલાએ ટ્વિટર પર ખુલીને જણાવવું જોઈએ કે તેણે ધર્મ પરિવર્તન કરી લીધું છે અને હવે તે ઉર્મિલા માતોંડકર નહીં પરંતુ મરિયમ અખ્તમ મીર છે’.

‘હિંદુઓનું કરી રહી છે બ્રેઈન વોશ’

પાયલે જણાવ્યું કે,’તેણે ચૂંટણીમાં મરિયમ અખ્તમ મીર નામથી જ ભાગ લેવો જોઈએ, આમ કરવા પર જ હું તેને મજબૂત મહિલા ગણીશ. તે હિંદુ નામનો ઉપયોગ કરી, નિર્દોષ હિંદુઓનું બ્રેઈન વોશ કરી રહી છે. બોલિવુડ પ્રોફાઈલનો ઉપયોગ કરી તે આ ખોટું કરી રહી છે, તે પોતાની સાચી ઓળખ છુપાવવા માગે છે અને એટલે જ તેણે કહ્યું કે તે ન તો હિંદૂ છે ન તો મુસલમાન., તે એક ભારતીય નાગરિક છે’.

‘ઉર્મિલા દેશને સત્ય જણાવે’

ઉર્મિલા માતોંડકરના શિક્ષણ પર પણ પાયલે સવાલ કર્યા. તેણે કહ્યું કે, ‘આ વીડિયો જોઈને લોકો મને ટ્રોલ કરે તે પહેલા મારે કહેવું છે કે હું પણ ભણેલી-ગણેલી છું. ઉર્મિલાના ત્રણેય ટ્વીટ નફરત વિશે વાત કરે છે. તમે કહો છો કે રાજનીતિની શરૂઆત ખોટું બોલીને નહીં કરુ તો લોકોને તમારી સાચી વાત જણાવો. તમે એક કન્વર્ટ મુસ્લિમ છો. તમે હિંદુ નામથી ચૂંટણી ન લડો’.



from Page Array – I Am Gujarat https://ift.tt/2YDYreC

No comments:

Post a Comment

Pages