નવી દિલ્હી: ગત લોકસભા ચૂંટણીમાં ભાજપનો નારો હતો અબ કી બાર મોદી સરકાર. આ વખતે ભાજપે ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા સાથે જોરશોરથી પ્રચાર અભિયાન શરુ કરી દીધું છે. દેશના વિવિધ શહેરોમાં આ નારા સાથેના પોસ્ટરો પણ લગાવાઈ રહ્યા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મોંઘવારી, આતંકવાદ, ભ્રષ્ટાચાર, મહિલાઓની સલામતી જેવા મુદ્દાઓ મુખ્ય હતા. આ વખતે ભાજપે કૌભાંડોથી મુક્ત સરકાર, વિશ્વમાં ભારતનું વધેલું માન, આતંકવાદ વિરુદ્ધની લડાઈ, સર્જિકલ સ્ટ્રાઈક, મજબૂત સરકાર, અંતરિક્ષમાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિ જેવા મુદ્દાઓને પક્ષના પ્રચાર અભિયાનમાં આવરી લેવાયા છે.



11 એપ્રિલે લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. સાત તબક્કામાં થનારી આ ચૂંટણીમાં છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે અને તેનું પરિણામ 23 મેના રોજ જાહેર થશે.


from Page Array – I Am Gujarat http://bit.ly/2ORsH13
No comments:
Post a Comment