Latest

Monday, April 22, 2019

રિવ્યુ વાંચી ઓનલાઈન શોપિંગ કરનારને સૌથી વધુ મૂર્ખ બનાવે છે કંપનીઓ

પોતાને સ્માર્ટ માનતા લોકોને જ આ કંપનીઓ સૌથી વધુ છેતરે છે

નવી દિલ્હીઃ આજનો સમય છે ઓનલાઈન શોપિંગનો, આપણામાંથી ઘણાબધા લોકો ક્યારેક ટાઇમના અભાવે કે ક્યારેક માર્કેટમાં જઈને ભીડભાડવાળી જગ્યાએ ફરવા કરતા ઘરે બેઠાબેઠા ઓર્ડર કરવાનું વધુ પસંદ કરે છે. જોકે, ઓનલાઇન ખરીદીમાં છાસવારે ઉલ્લુ બનાવવામાં આવ્યા હોય કે બનાવટનો શિકાર બને છે. તેમાં ઘણા લોકો એવી શિખામણ આપતા હોય છે કે હું ઓનલાઇન લેવામાં ક્યારેય છેતરાયો નથી કેમ કે હું રિવ્યુ જોઈને જ ખરીદું છું તો કદાચ આવા લોકો સૌથી વધુ મૂર્ખ બનતા હશે.

આ રીતે ચાલે છે સમગ્ર કૌભાંડ

એમેઝોન પરથી ખરીદી કરતા ઓનલાઈન ખરીદદારોને ફેસબુક પર ચાલતા જુદા જુદા ગ્રુપ્સ દ્વારા ખોટા રિવ્યુ મોકલીને મૂર્ખ બનાવવામાં આવે છે. આ કૌભાંડમાં મોટી મોટી કંપનીઓથી લઈને નાનામાં નાની કંપની અને નાના વેપારીઓ પણ ભળેલા છે, જેઓ પોતાની પ્રોડક્ટ્સનો પોઝિટિવ રિવ્યુ વધુમાં વધુ લોકો સુધીપહોંચાડવા ફેસબુક પર નિર્ભર છે. આ લોકોએ એમેઝોન પર પોતાની પ્રોડક્ટ લિસ્ટ કરી છે એટલે તેમની પહોંચ એમેઝોનના દુનિયાભરમાં ફેલાયેલા 2.6 બિલિયન યુઝર્સ સુધી પહોંચી શકે.

ફેક રિવ્યુથી ગ્રાહકો પ્રભાવિત

શનિવારે ધ ગાર્જિયનના અહેવાલ અનુસાર એમોઝોનના સેલર્સનું સમર્થન મેળવેલા આ ખોટા સમીક્ષકો ફેસબુકના જુદા જુદા ગ્રુપ પર પ્રોડક્ટ અંગેની ખોટી જાણકારીઓ પોસ્ટ કરી ગ્રાહકોને પ્રભાવિત કરે છે. જણાવી દઈએ કે સમીક્ષકોએ કોઈ એક પ્રોડક્ટ માટે રુપિયા ખર્ચવા પડે છે અને એમેઝોન ગ્રાહકોને એ ભરોસો આપાવવાનો હોય છે કે આ પ્રોડક્ટ અસલી છે નકલી નહીં. બસ એક મસ્ત રિવ્યુ મળ્યા બાદ કંપની આ પ્રોડક્ટની ખરીદ કિંમત તેમને પરત કરી દે છે તો કેટલીકવાર રિવ્યુ માટે વધારાની ફીસ પણ આપે છે.

એમેઝોન જેવા માર્કેટપ્લેસ પર સૌથી વધુ અસર

રિપોર્ટ અનુસાર બ્રિટનના કન્ઝ્યુમર એસોસિએશન દ્વારા ઉપયોગમાં લેવાતા એક બ્રાન્ડ નેમનું નામ ‘Which?’નું કહેવું છે કે એમેઝોની સીસસ્ટમ આ અજાણી બ્રાન્ડ માટે આપવામાં આવતા જબરજસ્ત ખોટા રિવ્યુના કારણે ધીરે ધીરે નકામી બની રહી છે. અને પછી લોકો એમેઝોન પર ભરોસો કરવાનું છોડી દે છે.

એમેઝોન અને ફેસબૂકની પોલિસી

ફેસબૂકના હવાલે ‘Which?’ને કહેવામાં આવ્યું કે અમે લોકોને ક્યારેય ખોટા યુઝર રિવ્યુ લખવા માટે પ્રોત્સાહિત કરતા નથી. જેમણે પણ અમારી નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે તેવા તમામ ગ્રુપને અમે ડિલિટ કરી દીધા છે. અમે લોકોને પણ કહીએ છીએ કે જો તમને એવું કોઈ દેખાય જે અમારા નિયમો તોડતું હોય તો રિપોર્ટિંગ ટૂલ દ્વારા અમને રિપોર્ટ કરો.

અમે આવા ખોટા રિવ્યુ કરતી કંપનીને બેન કરી દઈએ છીએ

તો બીજી તરફ એમેઝોનનો દાવો છે કે તે પોતાની વેબસાઇટ પર રિવ્યુઝની પ્રામાણિક્તા જળવાય તે માટે ખૂબ જ ચોક્કસાઈ રાખે છે. અમે સમીક્ષકો અને સેલિંગ પાર્ટનર્સ બંને માટે એક ચોક્કસ ગાઈડલાઇન્સ આપી છે. જે લોકો અમારી નીતિનું ઉલ્લંઘન કરે છે તેમને વેબસાઈટ પરથી બેન કરવા અને કાયદાકીય પગલા લેવા જેવા કામ પણ કરવામાં આવે છે.

(એજન્સીઓના ઇનપુટ સાથે)



from Page Array – I Am Gujarat http://bit.ly/2Vg6gbE

No comments:

Post a Comment

Pages