Latest

Wednesday, April 17, 2019

હવાઈભાડાંમાં રાહત નહીં મળે



68916068

મિહિર મિશ્રા

નવી દિલ્હી:વિમાન પ્રવાસીઓને હવાઈભાડાંમાં હાલ પૂરતી રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. જેટના પતન બાદ તેના ખાલી પડેલા સ્લોટ લેવા અન્ય એરલાઇન્સ પ્રયાસ કરી રહી છે પરંતુ નિયમનકારે તેમની માંગણી ફગાવી દીધી છે. જેટ પાસે હવે ફક્ત છ પ્લેન જ છે અને તે પણ ગમે ત્યારે ત્યજી દેવા પડે તેવી સ્થિતિ છે. રેગ્યુલેટરી સૂત્રોએ જણાવ્યું કે અન્ય એરલાઇન્સ ઓછા ફાયદાકારક રૂટ પરથી વિમાનો ખેંચીને જેટના સ્લોટમાં મૂકવા માંગતી હતી.

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ એરલાઇન્સને જણાવ્યું હતું કે તેઓ તેમના કાફલામાં વધારો કરે નહીં ત્યાં સુધી નવી ફ્લાઇટ્સ લોન્ચ કરી ન શકે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે એરલાઇન્સની દલીલ હતી કે આ બાબત રેગ્યુલેટરી સત્તાવાળાઓના અધિકારક્ષેત્રની બહાર છે. આ બાબત અન્ય વિમાન કંપનીઓના કેન્સલ થયેલા સ્લોટને ભરીને ભાડાંને અંકુશમાં રાખવાથી સરકારની નીતિથી વિપરીત છે, એમ તેઓએ જણાવ્યું હતું.

વિમાન કંપનીઓ દિલ્હી-મુંબઈ અને મુંબઈ-બેંગલુરુના ટ્રન્ક રૂટ પર ફ્લાઇટ લોન્ચ કરવા તૈયારી કરી રહી હતી. નવા પ્લેનની ડિલિવરીના પગલે તેમનો કાફલો વધશે અને તેના લીધે આમાંના કેટલાક સ્લોટ ભરવામાં મદદ મળશે. આ આદેશનો અર્થ એમ થાય કે કેટલીક એરલાઇન્સ, જેમણે મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને અન્ય સ્થળોએ નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી, તેમણે તે જાહેરાત રદ કરવી પડશે સિવાય કે રેગ્યુલેટર તેના નિર્ણય અંગે ફેરવિચાર કરે. તેનો અર્થ એમ થાય કે કેન્સલેશનના લીધે ઊંચા સ્તરે પહોંચી ગયેલો ટિકિટનો ભાવ ઉનાળાની પિક ટ્રાવેલ સીઝનમાં ઘટે તેવી સંભાવના નથી.

ડીજીસીએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક એરલાઇન્સે ટ્રન્ક રૂટ પર નવી ફ્લાઇટ લોન્ચ કરવા માટે બીજાં સંવેદનશીલ ક્ષેત્રોમાંથી ફ્લાઇટ્સ દૂર કરી હતી. ડીજીસીએના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “આવા કોઈ મુદ્દા પર વિશેષ ટિપ્પણી ન કરીએ તો પણ હું તેવી કેટલીક વિમાન કંપનીઓને જાણું છું જેમણે ઉનાળાના શિડ્યુલ માટે કેટલાક અંતરિયાળ કે સંવેદનશીલ વિસ્તારોમાંથી ફ્લાઇટ્સ દૂર કરીને પસંદગીનાં ક્ષેત્રોમાં મૂકી છે. અમે મંજૂર થયેલા નિયત કાર્યક્રમને નહીં બદલીએ, ડીજીસીએ હંમેશા વધારાના શેડ્યુલને અગ્રતાના ધોરણે મંજૂરી આપે છે, પરંતુ બીજી ફ્લાઇટ્સના ભોગે નહીં.”

આગામી દિવસોમાં એરલાઇન્સ શરૂ કરેલી અમુક ફ્લાઇટ્સ રદ કરશે ત્યારે રેગ્યુલેટરના ઓર્ડરની અસર જોવા મળશે. એરલાઇન એક્ઝિક્યુટિવે સ્પષ્ટતા કરી કે વિમાન કંપનીઓએ નિયમ મુજબ ફ્લાઇટ્સ શરૂ કરી હતી અને નિયમ મુજબ ડીજીસીએનો નિર્ણય પેન્ડિંગ હોય તો ત્રણ દિવસ સુધી તેઓ ફ્લાઇટ ઓપરેટ કરી શકે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2GrhG3X

No comments:

Post a Comment

Pages