મુંબઈ-દિલ્હી સહિતના તમામ એરપોર્ટ પર એર ઇન્ડિયાના મુસાફરો રઝળ્યા

નવી દિલ્હીઃ એર ઇન્ડિયા ફ્લાઇટ્સનું સર્વર ડાઉન થતાં શનિવારના રોજ પેસેન્જર્સને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. સર્વરને લગભગ 9 વાગ્યે રિપેર કરાયું પરંતુ તેના લીધે એર ઇન્ડિયાની સ્થાનિકની સાથો સાથ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે. મળતી માહિતી પ્રમાણે પેસેન્જર્સના બોર્ડિંગ પાસ નીકળી રહ્યા નથી. તેના લીધે દિલ્હી એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બોર્ડિંગ પાસ નીકળતા થયા બંધ

એરલાઇન્સના SITA સર્વરમાં મુશ્કેલી પડી હતી. તેના લીધે પેસેન્જર્સ મોડી રાત્રે 3.30થી પરેશાન હતા. દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર પેસેન્જર્સની ભીડ જામી હતી. આ બધાની વચ્ચે એર ઇન્ડિયા એ નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે તેમની ટેકનિકલ ટીમ મુશ્કેલીને દૂર કરવાની કોશિષ કરી રહ્યું છે.
જુઓ નવું શેડ્યુલ

શું છે SITA

આ એક મલ્ટીનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની છે જે એર ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝને આઇટી અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ આપે છે. કહેવાય છે કે લગભગ તમામ પેસેન્જર ફ્લાઇટ્સ SITA ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
એર ઇન્ડિયા એ માંગી માફી

સર્વર ડાઉન થયા બાદ પેસેન્જર્સને થઇ રહેલી પરેશાનીને જોતા એર ઇન્ડિયા એ નિવેદન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે SITA સર્વર ડાઉન થવાના લીધે ફલાઇટ્સ પર અસર પડી રહી છે. તેમણે ખેદ વ્યકત કરતા કહ્યું કે તેમની ટેકનિકલી ટીમ તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ ઠીક કરી લેવાશે.
2 દિવસ પહેલા AIના પ્લેનમાં લાગી હતી આગ

આપને જણાવી દઇએ કે આની પહેલાં 25મી એપ્રિલના રોજ એર ઇન્ડિયાના વિમાનમાં આગ પણ લાગી ગઇ હતી. જો કે સમયસર જાણ થતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. ત્યારે એર ઇન્ડિયાના બોઇંગ 777 વિમાનમાં અચાનક આગ લાગી ગઇ હતી. આ આગ રિપેરીંગ દરમ્યાન લાગી હતી, આથી તે સમયે કોઇ પેસેન્જર્સ તેમાં હાજર નહોતું.
from Page Array – I Am Gujarat http://bit.ly/2PvOaND
No comments:
Post a Comment