Latest

Sunday, April 21, 2019

આ રીતે જાણી શકાશે તમારું લીવર સ્વસ્થ છે કે નહીં

મહત્ત્વનું છે લીવર

લીવર શરીરના કેટલાક મહત્ત્વના અંગ પૈકીનું એક છે. 500થી વધારે બોડી ફંક્શનમાં તે મદદ કરે છે. તેથી લીવર સ્વસ્થ રાખવું ખૂબ જરુરી છે. પરંતુ, કેટલાક સંકેત પરથી જાણી શકાય છે કે, લીવરમાં કોઈ પ્રોબ્લેમ થવાનો છે. આ સંકેત પરથી જાણી શકાશે કે, લીવર બીમાર છે કે નહીં.

ત્વચામાં ખંજવાડ

ચામડીમાં ખંજવાડ થવી સામાન્ય વાત છે, જેને સમાન્ય રીતે મોટાભાગના લોકો ગંભીરતાથી લેતા નથી. લીવરમાં પ્રોબ્લેમને કારણે ચામડીમાં ખંજવાડની સમસ્યા થઈ શકે છે. લીવર ખરાબ થતા તેમાં બનતા બાઈલજુસ વ્યક્તિના લોહીમાં મિક્સ થઈ જાય છે. જે બાઈલ જુસ જ્યારે ચામડીની નીચેના ભાગમાં જમા થઈ જાય છે ત્યારે ખંજવાડ આવે છે. આ પરસેવાની ખંજવાડની વાત નથી.

શરીરમાં રેખાઓ

ઘણી વખત ચામડીમાં લીલા રંગની રેખાઓ જોવા મળે છે. શરીરમાં ઓએસ્ટ્રોજનની માત્રા વધવાને કારણે આવું થતું હોય છે. આ રેખાઓ એ વાતનો સંકેત આપે છે કે, લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. સામાન્ય રીતે આવી રેખાઓ ચહેરા પર અને પગમાં જોવા મળે છે.

ઈજા થતા વધુ લોહી વહી જવું

જો સામાન્ય ઈજા થતા શરીરમાંથી વધુ માત્રામાં લોહી વહેવા લાગે તો તે લીવર નબડું હોવાના સંકેત છે. લોહીને જામવા માટે જે પ્રોટીનની જરુર હોય છે તે વસ્તુ લીવર તૈયાર કરે છે. લીવર ખરાબ થતા શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ જાય છે.

મોઢામાંથી દુર્ગંધ

મોઢું ખરાબ હોવાને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. પણ એક વાત જાણીને શોક લાગશે કે, મોઢામાંથી વાસ આવી એ લીવર સાથે જોડાયેલી બાબત છે. લીવર સિરોસિસ જેવી સમસ્યા થતા લોહીમાં રહેલા ડાઈમિથાઈલ સલ્ફાઈડને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે.

ચહેરા પર ડાઘ

ચહેરા પર ભૂરા અથવા કાળા રંગના ડાઘ જોવા મળે જે એ વાતનો સંકેત છે કે, લીવર ખરાબ થઈ રહ્યું છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે તેમાં ઓએસ્ટ્રોજનની માત્રા વધી જાય છે. જેના કારણે શરીરમાં ટાયરોનેજ નામનું એક તત્વ વધી જાય છે. જેના કારણે ચહેરા પર ડાઘ અને નાની-નાની ફોલ્લીઓ નીકળે છે.

 



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2UOxpTy

No comments:

Post a Comment

Pages