હવામાન ખાતાની આગાહીઃ

અમદાવાદઃ અમદાવાદમાં સોમવારે સૂર્ય જાણે આગ ઓકતો હોય તેવી આકરી સ્થિતિ હતી. શહેરમાં મહત્તમ 43.7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આ પહેલા રવિવારનો દિવસ પણ ખાસ્સો ગરમ રહ્યો હતો. છેલ્લા આઠ વર્ષમાં આ ઉનાળામાં મહત્તમ તાપમાન રહ્યું છે. જો કે ઈન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ની આગાહી મુજબ મંગળવારે તાપમાન ઘટીને 43 ડીગ્રી થશે. ત્યાર પછી પણ તાપમાનમાં ધીરેધીરે ઘટાડો નોંધાતો જશે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
તાપમાન ઘટશેઃ

IMDના જણઆવ્યા મુજબ આખા ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં હવે મોટો ફેરફાર નહિ જોવા મળે. હવામાન ખાતાની વેબસાઈટ પર જણાવ્યા મુજબ હવેના ત્રણેક દિવસમાં તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. IMDના અધિકારીઓએ જણાવ્યું કે એપ્રિલ 27,28 અને 29ના રોજ આખા રાજ્યમાં ગરમીના પ્રકોપ બાદ હવે થોડી રાહત મળશે.
ગાંધીનગર સૌથી ગરમઃ

સોમવારે ગાંધીનગરમાં સૌથી વધુ 44.1 ડીગ્રી તાપમાન હતું. ત્યાર પછી અમરેલીમાં 44 ડીગ્રી, કંડલામાં 43.8 ડીગ્રી, અમદાવાદમાં 43.7 ડીગ્રી, સુરેન્દ્ર નગરમાં 43.3 ડીગ્રી અને રાજકોટ તથા વડોદરામાં 42.8 ડીગ્રી તાપમાન હતુ.
108 પાસે મહત્તમ ઈમર્જન્સીના કેસઃ

આ વખતે એપ્રિલ મહિનામાં EMRI 108ને સૌથી વધારે ગરમીને લગતી ઈમર્જન્સી માટે કૉલ આવ્યા હતા. સોમવારે આખા રાજ્યમાં 846 કેસ નોંધાયા હતા. આ અગાઉ 23 એપ્રિલે 834 કેસ નોંધાયા હતા. એકલા અમદાવાદમાં જ 206 કેસ નોંધાયા હતા. 1 એપ્રિલે અમદાવાદમાં 218 કેસ નોંધાયા હતા. પેટમાં દુઃખાવો અને મૂર્છિત થઈ જવાના સૌથી વધુ કેસ બન્યા હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2vvX7Nq
No comments:
Post a Comment