સોની રાઝદાનના વિવાદિત નિવેદન પર આલિયાની સ્પષ્ટતા

સંજય મિશ્રા: એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની મા સોની રાઝદાનના ‘પાકિસ્તાન જઈને ખુશ રહીશ’ વાળા વિવાદિત નિવેદન પર સ્પષ્ટતા કરી છે. આલિયાએ કહ્યું, “તેઓ બે બાળકોની સમજદાર માતા છે. જો તેમણે કોઈ વાત મજાકમાં કે ખરેખર કીધી હશે તો તે તેમના પોતાના વિચાર છે. કોઈપણ વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. લોકોએ આ વિચારોને મોટું રૂપ આપવાની જરૂર નથી.”
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રોલિંગ વિશે આલિયાએ કહ્યું…

ટ્રોલિંગ વિશે આલિયાએ કહ્યું, “જ્યારે લોકો મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે તો હું ધ્યાનમાં નથી લેતી. મારા માટે ટ્રોલિંગ પણ એક પ્રકારનું અટેન્શન છે. મારા માટે કોઈ નેગેટિવ ટ્રોલિંગ હતું જ નહીં. મને નેગેટિવ ટ્રોલિંગ ત્યારે લાગે છે જ્યારે મારા પરિવાર અને જે વ્યક્તિઓને હું પ્રેમ કરું છું તેમને કોઈપણ પ્રકારે ખોટી રીતે રજૂ કરવામાં આવે તો હું દુઃખી થઈ જાઉં છું. બાકી મીમ્સ જેવા ટ્રોલ પર તો હું હસું છું.”
મમ્મીને મેં કંઈ ન બોલવાની સલાહ આપી

સોની રાઝદાનના પાકિસ્તાન જવા અંગેના નિવેદન વિશે વાત કરતાં આલિયાએ જણાવ્યું, “જ્યારે આ નિવેદન પર મારી મમ્મીને ટ્રોલ કરવામાં આવી ત્યારે મને બિલકુલ ન ગમ્યું. હું ખૂબ પરેશાન થઈ ગઈ. હું એટલે જ મમ્મીને કહું છું કે, તમને કોઈ વિષયની જાણકારી ન હોય તો તે વિશે વાત ન કરો. લોકો વાંચે છે અને કંઈપણ વિચાર્યા વિના રિએક્શન આપે છે. મેં મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે, હવે તમે સ્વબચાવમાં કંઈ ના કહેતા. તમારે કોઈની સામે કશું જ સાબિત કરવાની જરૂર નથી. તમે કોઈ કારણે જવાબ આપ્યો છે તો હવે આ નિવેદન પર અડગ રહો.”
પાકિસ્તાન વાળા નિવેદનને ગણાવી મજાક

મમ્મીના પાકિસ્તાનવાળા નિવેદનને મજાક ગણાવતા આલિયાએ કહ્યું, “મમ્મીએ એ વાત મજાકમાં કહી હતી પણ હવે જે કહી દીધું કે કહી દીધું. હવે સ્વબચાવમાં કંઈ કહેવાની જરૂર નથી. મને એ વાતથી દુઃખ થાય છે કે કોઈ વ્યક્તિ પોતાના વિચાર રજૂ કરે તો લોકો તેના પર ચડી બેસે છે. મને આ નથી ગમતું.”
‘કલંક’માં જોવા મળશે આલિયા

આલિયાના વર્કફ્રંટની વાત કરીએ તો કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘કલંક’ 17 એપ્રિલે રિલીઝ થશે. 1940ના પીરિયડ ડ્રામા પર બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન અભિષેક વર્મને કર્યું છે. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત વરુણ ધવન, સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં માધુરીની એન્ટ્રી શ્રીદેવીના નિધન બાદ થઈ. ફિલ્મમાં માધુરીએ જે રોલ કર્યો છે તે અગાઉ દિવંગત અભિનેત્રી શ્રીદેવી કરવાના હતા પરંતુ તેમનું મોત થતાં રોલ માધુરીના ફાળે આવ્યો.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HZCxO2
No comments:
Post a Comment