હવે રાહ નહીં જોવાય

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ અને ખાસ કરીને ‘દયાબેન’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. દયાબેન એટલે કે એક્ટ્રેસ દિશા વાકાણી શોમાં પરત આવશે કે નહિ તે અંગેનું સસ્પેન્સ પૂરું થઈ ગયું છે. હવે કન્ફર્મ થઈ ગયું છે કે દિશા સીરિયલમાં નહીં જોવા મળે. સીરિયલના મેકર્સ હવે રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું કે, નવા દયાબેનની શોધ શરૂ કરી દેવાઈ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
નવા ચહેરા સાથે આગળ વધશે શો

બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં આસિત કુમાર મોદીએ કહ્યું, “અમારે નવા દયાબેનની શોધ શરૂ કરવી પડશે. કોઈ પણ વ્યક્તિ શોથી મોટો ન હોઈ શકે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નવા ચહેરા સાથે આગળ વધશે કારણકે દયાબેનના પાત્ર વિના શોની ફેમિલી અધૂરી છે.” આસિત મોદીનું કહેવું છે કે, તેમની ટીમે દિશા વાકાણી પરત આવે તે માટે ઘણી રાહ જોઈ.
‘ઘણી વર્કિંગ વુમન બાળકના જન્મ પછી પણ કામ કરે છે’

આસિત મોદીએ આગળ જણાવ્યું, “આ દેશમાં ઘણી વર્કિંગ વુમન છે જે પ્રેગ્નેન્ટ થાય છે અને મેટરનિટી બ્રેક પર જાય છે. બાળકનો જન્મ થાય છે અને કામ પરત આવી જાય છે. આજે મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ પણ કામ કરે છે. અમે દિશાને રજા આપી પરંતુ કાયમ માટે તેની રાહ તો ન જોઈ શકીએ ને.”
‘રાતોરાત એક્ટ્રેસ રિપ્લેસ થતી નથી’

પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું, “કોઈ એક્ટ્રેસને રાતોરાત રિપ્લેસ નથી કરી શકાતી. એક મહિના પહેલા વાર્તાનો ટ્રેક એડવાન્સમાં તૈયાર કરવો પડે છે. હજુ દયાબેનના રોલ માટે ઓડિશન પ્રારંભિક તબક્કામાં છે. ભવિષ્યમાં શું થશે તે વિશે ચોક્કસ ન જણાવી શકું. પરંતુ શો આગળ વધશે તે નક્કી છે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/2HVGDqs
No comments:
Post a Comment