ભોપાલ: ચૂંટણીના માહોલમાં હજુ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની સભામાં એક યુવક નરેન્દ્ર મોદીના વખાણ કરી ચર્ચામાં આવ્યો હતો. ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે પોતાની સભામાં મંચ પરથી પૂછ્યું હતું કે, જેના બેંક અકાઉન્ટમાં 15 લાખ રુપિયા આવ્યા હોય તે હાથ ઉપર કરો..
દિગ્વિજયના આ સવાલ પર અમિત માલી નામના એક યુવકે હાથ ઉપર કર્યો હતો. તેને જોઈને દિગ્વિજયે તેને સ્ટેજ પર બોલાવ્યો હતો. જોકે સ્ટેજ પર આવતા જ આ યુવકે માઈક પર આવી મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓને માર્યા છે તેવું બોલવાનું ચાલુ કરી દીધું હતું. આ ઘટનાથી દિગ્વિજયની સભામાં લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા, અને યુવક બીજું કંઈ બોલે તે પહેલા તેને હાથ પકડી સ્ટેજ પરથી નીચે ઉતારી દેવાયો હતો.
આજે આ જ યુવકનું ભોપાલમાં ભાજપના નેતાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ તેને ઓફિસ પર બોલાવીને પુષ્પગુચ્છ આપી યુવકનું અભિવાદન કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા અમિત માલીએ કહ્યું હતું કે, તે દિગ્વિજયની સભામાં મંચ પર જઈને ઉભો રહ્યો અને મોદીથી પ્રોત્સાહિત થઈને બોલવા લાગ્યો. દિગ્વિજયની સભામાં મોદીના વખાણ કર્યા હોવા છતાં પોતાની સાથે કોઈ મારપીટ કે ધક્કા-મુક્કી ન થઈ હોવાનું પણ આ યુવકે જણાવ્યું હતું.
from Page Array – I Am Gujarat http://bit.ly/2IUkCIf
No comments:
Post a Comment