નાગરાકાટા: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એક ચૂંટણી સભામાં પીએમ મોદી પર કથિત રુપે વાંધાજનક ટિપ્પણી કરી છે. સોમવારે તેમણે એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મોદીને સત્તા અને રાજકારણમાંથી બહાર કરવા જોઈએ અને તેમના મોઢાને ટેપ ચોટાડી બંદ કરી દેવું જોઈએ.
મમતાએ એક રેલીમાં કહ્યું હતું કે, મોદી પાસે ખેડૂતો અને મધ્યમ વર્ગની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો સમય નહોતો, કારણકે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં સાડા ચાર વર્ષ તો તેઓ દુનિયામાં ફરવામાં જ વ્યસ્ત રહ્યા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોદી દરેકને ડરાવી-ધમકાવી રહ્યા છે અને જૂઠ્ઠું બોલી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે જો જૂઠ્ઠું બોલવાની કોમ્પિટિશન થાય તો તેમાં પહેલું ઈનામ મોદીને મળે.
પશ્ચિમ બંગાળના સીએમે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં લોકો મોદીના મોઢા પર ટેપ ચોંટાડી દેશે, જેથી તેઓ જૂઠ્ઠું ના બોલી શકે. દેશને ખાતર તેમણે ન માત્ર પ્રધાનમંત્રી પદ પરંતુ રાજકારણમાંથી પણ બહાર નીકળી જવું જોઈએ. કૂચબિહાર જિલ્લામાં રવિવારે પીએમ મોદીએ એવી ટિપ્પણી કરી હતી કે મમતા અને ટીએમસી મોદીના ભયની માનસિકતાથી પીડિત છે, તેના પર પલટવાર કરતા મમતાએ ચેતવણી આપતા કહ્યું હતું કે તેમને ધમકાવાય નહીં, અને આમ કરવું તેમની સૌથી મોટી ભૂલ હશે.
મમતાએ કહ્યું હતું કે ,પાંચ વર્ષ દરમિયાન સાડા ચાર વર્ષ મોદી દુનિયામાં ફરતા રહ્યા. જ્યારે દેશના ખેડૂતો આપઘાત કરી રહ્યા હતા ત્યારે તેઓ શું કરતા હતા? જ્યારે નોટબંધીથી લોકો મરી રહ્યા હતા, કરોડો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી ત્યારે તેઓ શું કરતા હતા?
from Page Array – I Am Gujarat http://bit.ly/2UryDUz
No comments:
Post a Comment