Latest

Sunday, April 7, 2019

રોકાણ અંગે તમારી માનસિકતા કેવી છે? ફિક્સ્ડ કે ગ્રોથની?



68522644

ધીરેન્દ્ર કુમાર, સીઇઓ, વેલ્યૂ રિસર્ચ

શું રોકાણકારો વચ્ચે કોઈ સ્વાભાવિક તફાવત હોઈ શકે કે જેમાં એક રોકાણકાર સામાન્ય રીતે સારું રોકાણ કરે અને બીજો મોટા ભાગે નુકસાન કરે? ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝ જે માને છે તે પ્રમાણે જોઈએ તો તેનો કોઈ જવાબ નથી. બુનિયાદી તફાવત કશો પણ નથી. વ્યક્તિએ માત્ર યોગ્ય સલાહકારને સાંભળવાનું કામ કરવાનું હોય છે, તેણે ફાઇનાન્શિયલ કંપનીઓના શાણપણને સમજવાનું છે અને આ રીતે તેઓ સારું રોકાણ કરી શકે. જોકે, આ મત વાસ્તવમાં ઘણા લોકો કહે છે તેનાથી ઘણો અલગ છે.

મારા જેવા કેટલાક લોકો જેઓ મોટી સંખ્યામાં રોકાણકારો સાથે વાતચીત કરતા હોય છે તેમના માટે એવું માનવું સરળ હોય છે કે કેટલાક લોકોની ગુણવત્તા જ બુનિયાદી રીતે એવી હોય છે કે જે આપણામાંના કેટલાક લોકોને સારા રોકાણકાર બનાવે છે.

મેં એકવાર એક લેખ વાંચ્યો હતો જેણે મને વિચારતો કરી દીધો હતો કે તે ખરેખર સારું હતું. આ લેખ જે બ્રેઇન પિકિંગ બ્લોગ પર હતો તેમાં મનોવિજ્ઞાનના શિક્ષણને લગતાં કેટલાક રસપ્રદ સંશોધનો હતાં. આ લેખનું મથાળું, ‘‘ફિક્સ વિરુદ્ધ ગ્રોથ: બે પાયાની માનસિકતા કે જે આપણા જીવનને આકાર આપે છે’’ હતું. પ્રથમ તો હું ફિક્સ વિરુદ્ધ ગ્રોથ શબ્દથી આકર્ષિત થયો હતો, પરંતુ વાંચ્યા બાદ જણાયું કે આ શબ્દોનો અર્થ એવો નથી જે ફાઇનાન્સ અને રોકાણના સંદર્ભમાં હોય છે.

તેમનો કહેવાનો ઉદ્દેશ ‘ફિક્સ માઇન્ડસેટ’ વિરુદ્ધ ‘ગ્રોથ માઇન્ડસેટ’ એવો હતો. સંશોધન કરનારાઓને આંતરિક ક્ષમતા ધરાવતા અથવા બુદ્ધિશાળી લોકોમાં ફિક્સ માઇન્ડસેટનું પ્રમાણ વધારે પ્રચલિત જણાયું. આવા લોકો કશોક પ્રયાસ કરે છે અને વધારે પ્રયાસો કર્યા વગર સફળ થાય છે. પછી તેઓ વધારે કઠિન પ્રયાસ કરે છે અને નિષ્ફળ જાય છે અને ઘણીવાર પસ્તાવો કરે છે અને તેઓ પ્રથમ પ્રયાસે જેટલી સફળતા મેળવી હતી તેટલા પૂરતા મર્યાદિત કરે છે. પછી તેઓ વધારે કઠિન પ્રયાસોથી દૂર રહેવાના મતના બને છે, તેમણે પ્રથમ જેટલી સફળતા મેળવી હતી તેટલી માત્રામાં પોતાની જાતને મર્યાદિત કરે છે.

બીજી તરફ જે લોકો જન્મજાત ક્ષમતા ધરાવતા ન હતા તેઓ વાસ્તવમાં વિકાસ કરે છે. તેઓ કશોક પ્રયાસ કરે છે પરંતુ તેમને સફળતા ફક્ત આકરી મહેનત તથા નિષ્ઠા મારફત જ મળે છે. આ બાબત તેમને જીવનમાં મૂલ્યવાન પાઠ ભણાવે છે કે પ્રયાસ તથા કઠિન મહેનત સફળતા અપાવે છે. જો તેઓ કોઈ કામ હાથ પર લે, સતત પ્રયાસો કરે તો પછી સફળતા આવશે. તેઓ શીખે છે કે જો કશુંક મુશ્કેલ હોય તો તેનો અર્થ એવો નથી કે તે થઈ શકે તેમ નથી. તેનો અર્થ ફક્ત એવો થાય છે કે તેમાં વધારે મહેનતની જરૂર પડશે તથા વધારે સતત પ્રયાસો કરવા પડશે.

અત્યાર સુધીમાં એ સ્વાભાવિક જ છે કે આપણે કેવી રીતે રોકાણ કરીએ છીએ તેના પર પણ અસરો પડે છે. આપણામાંના કોઈ પણ માટે રોકાણની નબળી પસંદગીઓ તથા વળતરને વળગી રહેવા માટે કોઈ કારણ નથી. આપણામાંના ઘણા લોકો નોન-ઓપ્ટિમલ, લો-રિટર્ન રોકાણ માટે પ્રયાસ કરે છે તથા તેમાં કમ્ફોર્ટનો અનુભવ કરે છે. પછી આપણે કોઈ ઇક્વિટી અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને ટ્રાય કરીએ છીએ અને ખબર પડે છે કે તે બાબત એટલી સરળ નથી.

વ્યક્તિએ થોડો પ્રયાસ કરવો જોઈએ, કાળજીપૂર્વક પસંદગી કરવી જોઈએ અને તેના પછી પણ સફળતા આપોઆપ આવી જતી નથી. તેમાં અસફળતા આવી શકે. પરંતુ જ્યારે અસફળતા આવે છે ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા રોકાણકારો એવા નિષ્કર્ષ પર આવે છે કે તેમણે કશુંક સાચું કર્યું નથી. જે લોકો ફિક્સ માઇન્ડસેટ ધરાવે છે તેઓ નિર્ણય કરે છે કે ઇક્વિટી કારગત નથી તથા ફિક્સ ડિપોઝિટ અને તેના જેવી પ્રોડક્ટ્સમાં જતા રહે છે.

એક રીતે જોઈએ તો રોકાણમાં શબ્દના અર્થમાં ફિક્સ્ડ તથા ગ્રોથ માઇન્ડસેટ સમાંતર હોય છે. ઇક્વિટી માઇન્ડસેટ ધરાવતા રોકાણકાર હોય અને ફિક્સ ઇન્કમ માઇન્ડસેટ ધરાવતા રોકાણકારો હોય. જો તમે ડેટ પર્સનને ઇક્વિટીમાં રોકાણ કરાવો તો તેની અનિશ્ચિતતા તથા બજારનું દબાણ તેમને વહેલા કે મોડા તેનાથી દૂર જવા પ્રેરશે, પછી ભલે તેઓ ઇક્વિટીમાં રોકાણના તર્કને સ્વીકારતા હોય. ઇક્વિટીમાં માનતા લોકો તમામ ડેટ ઇન્વેસ્ટમેન્ટને નાણાં અને સમયનો બગાડ ગણે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Ij70G3

No comments:

Post a Comment

Pages