એવા ક્યા કામ છે

કોઈ પણ વસ્તુ હોય કે કામ અતિથી ઉપર તે નુકસાન કારક હોય છે. આ કહેવાત માત્ર અત્યાર જ નહીં શાસ્ત્રોમાં પણ તેમનો ઉલ્લેખ છે અને પુરાણોમાંથી પણ એવું ન કરવાની સલાહ આપવામાં આવી છે. એવા પણ કેટલાક કામ છે જે વધુ પડતા કરવામાં આવે તે આયુષ્ય ઘટી જાય છે અને માનસિક તથા શારીરિક રીતે નુકસાન વેઠવાનો વારો આવે છે. વિષ્ણુપુરાણમાં તેનો ઉલ્લેખ કરાયેલો છે. જોઈએ આવા કેટલાક કામ
સ્નાન

સ્નાન કરવું દરેક વ્યક્તિ માટે જરુરી છે, શારીરિક સ્વચ્છતા માટે તે અનિવાર્ય છે. પણ લાંબા સમય સુધી સ્નાન કરવાથી કે પાણીમાં રહેવાથી શરીર બીમાર પડે છે. સ્નાન કરવામાં વધુ વાર ન લગાડવી જોઈએ. ઝડપથી સ્નાન કરીને ડીલ ચોખ્ખું કરી નાખવું જોઈએ.
સુવાનો

ઓછી ઊંઘ તો શરીર માટે નુકસાનકારક હોય છે પણ વધુ પડતી ઊંધ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. વિષ્ણુ પુરાણ અનુસાર એ જ વ્યક્તિ સફળ થાય છે જે પોતાના સુવાનો અને ઊઠવાનો સમય નક્કી કરી લે છે. આ ઉપરાંત જીવનમાં પણ આ અંગે નિયમિતતા રાખે છે. મોડે સુધી જાગવું અને મોડેથી ઊંઘી જવું આ બંને માનવજીવન માટે હિતકારી નથી. સફળ થવા માટે આ અંગે ધ્યાન આપવું જોઈએ.
શારીરિક સંબંધો

સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધો હોવા એ સામાન્ય છે. પણ આ માટે પણ મર્યાદા હોવી જોઈએ. વધુ પડતા શારીરિક સંબંધો નુકસાનકારક હોય છે. પ્રેમની અભિવ્યક્તિ હોવી જોઈએ પ્રદર્શન નહીં. પરિવારને આગળ વધારવા માટે તે જરુરી છે. પણ એ માટેની સીમા નક્કી હોવી જોઈએ.
કસરત

શરીર માટે થોડી કસરત અનિવાર્ય છે. શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવા માટે કસરત કરવી ખૂબ જરુરી છે. કસરત કરવાથી મન ખુશ રહે છે. દિમાંગ સ્વસ્થ રહે છે. શરીરને પણ શારીરિક મજબુતી મળી રહે છે. રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
ચાર રસ્તાઓ

પુરાણો અનુસાર રાત્રીના સમયે ચાલીને રસ્તો ક્રોસ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, રાત્રીના સમયે ચાર રસ્તાઓ પર અસુરી શક્તિઓનો વાસ હોય છે. માનવીને તેની નકારાત્મક અસર થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2IKjGGc
No comments:
Post a Comment