Latest

Monday, April 8, 2019

એરસેલ નાદારીની કાર્યવાહીમાંથી બહાર નીકળવાની અણીએ



68717727

દેવિના સેનગુપ્તા

મુંબઈ: ટેલિકોમ કંપની એરસેલ નાદારીની કાર્યવાહીમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે. કારણ કે, આ કાર્યવાહી માટે કોર્ટ દ્વારા નીમવામાં આવેલા મેનેજરે કંપનીને વેચવા માટે UV એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ (UVARCL)ની પસંદગી કરી લીધી છે એમ આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું.

UVARCL દ્વારા એરસેલનું ₹20,000 કરોડનું દેવું પણ ભરવામાં આવશે. એરસેલ અત્યારે બંધ છે અને તેની ઋણની સમસ્યાનો નીવેડો લાવવાની પ્રક્રિયાનું સંચાલન કરી રહેલી કંપની ડેલોઇટે ગયા સપ્તાહે એરસેલની કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) સમક્ષ તેની પસંદગી તરીકે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના નામની રજૂઆત કરી હતી.

“એરસેલની એસેટ્સ વેચવા માટે 50-60 વૈશ્વિક કંપનીઓનો સંપર્ક સાધવામાં આ‌વ્યો હતો અને ત્યાર બાદ UVARCLના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી હતી અને તેનું નામ તમામ બેન્કર્સને મોકલી દેવામાં આવ્યું છે એમ ઉપરોક્ત માહિતી આપનાર લોકોએ જણાવ્યું હતું.

એરસેલનો મહત્તમ હિસ્સો મલેશિયાની મેક્સિસ પાસે છે. એરસેલને લોન આપનારી બેન્કોમાં SBI, ચાઇના ડેવલપમેન્ટ બેન્ક (CDB), બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્કનો સમાવેશ થાય છે. બેન્કો પાસે દરખાસ્તનો અભ્યાસ કરવા માટે એક મહિનાનો સમય છે. આ સમય દરમિયાન જો કોઈ સારી ઓફર મળશે તો તેને બેન્કો સમક્ષ રજૂ કરવામાં આવશે.

ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ પ્રમાણે, ઓછામાં ઓછા ૬૬ ટકા લેન્ડર્સની મંજૂરી મળે તો દરખાસ્ત પાસ થઈ શકે છે. જો લેન્ડર્સ કોઈ ઓફર પર સહમત ન થાય તો એસેટ્સને ફડચામાં કાઢવામાં આવે છે.

એરસેલના કિસ્સામાં જે નામ પસંદ કરવામાં આ‌વ્યું છે તેને જો બેન્કો પણ પસંદ કરશે તો એરસેલની લાયેબિલિટીઝ UVARCL દ્વારા લેવામાં આવશે જ્યારે તેના ઓપરેશન્સના કેટલાક ભાગને વેચાણ માટે મૂકવામાં આવશે. તેના ફાઇબર બિઝનેસને જાળવી રાખવો કે નહીં અને બલ્ક મેસેજિંગ ક્ષેત્રમાં કામ કરવું કે નહીં અને બાકીના બિઝનેસ વેચવા કે નહીં તેનો નિર્ણય UVARCL દ્વારા લેવામાં આવશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2D439Jz

No comments:

Post a Comment

Pages