MP દરોડાથી રાજકારણ ગરમાયું

ભોપાલ/ઈન્દોરઃ મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકોના ઘરે આવકવેરાના દરોડા પડી રહ્યા છે. આવકવેરા વિભાગે રવિવારે મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને ગોવામાં લગભઘ 50 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા અને આજે સવાર સુધી દરોડા ચાલું હતા. ટીમે મધ્યપ્રદેશમાં લગભગ 35 જગ્યાઓ પર રેડ પાડી. જેમાં CM કમલનાથના લોકોના ઘર અને ઓફિસનો પણ સમાવેશ થાય છે. કમલનાથે કેન્દ્ર પર નિશાન તાકીને કહ્યું કે તમે ચૂંટણી દરમિયાન આ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છો તો મધ્યપ્રદેશ ભાજપે કમલનાથ પર તેમના સહયોગીઓને સંરક્ષણ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો. જ્યારે કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું કે તેમના ઘરે પણ આઈટી વિભાગ દરોડા પાડી શકે છે, પણ તેમની પાસે છૂપાવવા માટે કશું જ નથી અને તેઓ ટીમનું સ્વાગત કરશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
અશ્વિન શર્માના ઘરે ચાલ્યા દરોડા

રાજધાની ભોપાલમાં આવક વેરા વિભાગની ટીમે સોમવારે સવારે ત્રણ વાગ્યે CMના પૂર્વ OSD પ્રવીણ કક્કડના અસોસિએટ અશ્વિન શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. આ પહેલા રવિવારે ભોપાલમાં અંસલ અપાર્ટમેન્ટના તેમના બે મકાનો અને પ્લેટેનિયમ પ્લાઝામાં એક ફ્લેટની પણ તપાસ કરી હતી. તેમાં એક જગ્યા પરથી કથિત રીતે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દ્વારા કરેલા રોકાણ સાથે જોડાયેલા કાગળ પણ મળ્યા.
મધ્યપ્રદેશનુ રાજકારણ ગરમાયું

આવકવેરા વિભાગની કાર્યવાહીથી મધ્યપ્રદેશને રાજકીય ઉથલ પાથલ મચી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને-સામને છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે એવું લાગે છે કે માત્ર ચોરોને જ ચોકીદાર સામે ફરિયાદ છે. જ્યારે, કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ ભાજપ પર વાર કરીને કહ્યું કે આ કાર્યવાહી રાજકીય બદલો લેવા માટે કરાઈ છે. તેમણે કહ્યું- કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે આ ભાજપની કોશિશ છે. આ સફળ નહીં થાય. આ સંકેત છે કે, નરેન્દ્ર મોદી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીતથી પરેશાન થઈ ગયા છે. કમલનાથે આ મામલે સીધું કોઈ નિવેદન તો નથી કર્યું પણ તેમણે એ જરુર કહ્યું છે કે, આખા દેશને ખબર છે કે કઈ રીતે પાછલા પાંચ વર્ષમાં બંધારણનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પી ચિદમ્બરમે કર્યું ટ્વીટ
The I T department knows that we have nothing to hide. They and other agencies have searched our residences before and found nothing. The intention is to cripple the election campaign.
— P. Chidambaram (@PChidambaram_IN) April 7, 2019
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે, આવકવેરા વિભાગે ચેન્નાઈ અને શિવગંગા સ્થિત ઘરોમાં પણ દરોડા પાડશે. અમે સર્ચ ઓપરેશનનું સ્વાગત કરીશું. તેમણે આગળ કહ્યું- આવકવેરા વિભાગ જાણે છે કે અમારી પાસે છૂપાવવા માટે કશું નથી. અન્ય એજન્સીઓએ અમારા ઘરે તપાસ કરી છે પણ કશું મળ્યું નથી. આની પાછળનું કારણ અભિયાનને તોડનાનું છે. લોકો આ સરકારને જોઈ રહ્યા છે અને ચૂંટણીમાં તેનો જવાબ આપશે,
CMના નજીકના લોકો ઘરે તપાસ

કક્કડના ભોપાલ અને ઈન્દોર સ્થિત ઘર અને ઓફિસમાં રવિવારે આવકવેરા વિભાગે CRPFની ટૂકડીઓને સાથે રાખીને દરોડા પા઼ડ્યા. કક્કડના પરિવાર હોસ્પિટાલિટી સહિત તમામ ક્ષેત્રોમાં વેપાર સાથે જોડાયેલા છે. વધુ એક નીકટની વ્યક્તિ આરકે મિગલાનીએ નવી દિલ્હીના ગ્રીન પાર્ક સ્થિત ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. ભોપાલમાં પ્રતીક જોશીના ઘરેથી મોટા પ્રમાણમાં કેશ મળ્યા હતા.
પોલીસ અને CRPF વચ્ચે ઘર્ષણ

પોલીસે પ્લેટેનિયમ પ્લાઝા સ્થિત એક ઘરની અંદર ઈન્કમ ટેક્સે દરોડા ચાલી રહ્યા છે, અને બહાર MP પોલીસ અને CRPF વચ્ચે ગંભીર ટક્કરની સ્થિતિનું નિર્માણ થયું હતું. CRPFએ કહ્યું કે એમપી પોલીસ પર ગાળ બોલવાનો અને કામમાં અડચણ ઉભી કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે MP પોલીસે કેન્દ્રીય બળ પર સામાન્ય લોકોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2D43Y55
No comments:
Post a Comment