નવી દિલ્હી: રિઝર્વ બેંકે ગઈકાલે વ્યાજના દરમાં ઘટાડો કર્યા બાદ નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે, તેમની સરકાર સામાન્ય લોકો પરથી વ્યાજનો બોજ ઘટાડવા ઈચ્છે છે. જેટલીએ કહ્યું હતું કે, જો તેમની સરકાર ફરી સત્તા પર આવી તો તે ઘરના ભાડા કરતાં હોમલોનનો હપ્તો ઓછો કરી નાખશે. જેનાથી ભાડે રહેવા કરતા લોકો માટે મકાન ખરીદવું સરળ બની જશે.
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું હતું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ટેક્સ રેટમાં કોઈ વધારો નથી કર્યો, તેમ છતાંય ટેક્સ બેસ ડબલ કરવામાં અને ટેક્સ કલેક્શન વધારવામાં સફળતા મળી છે. જેટલીએ કહ્યું હતું કે, ફરી એનડીએની સરકાર બની તો વ્યાજના દર હજુય ઘટે તેવી નીતિ બનાવાશે, અને નાણાંકીય સ્થિતિને મજબૂત બનાવાશે.
તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, નીચા વ્યાજ દર લોનને સસ્તી બનાવશે, અને ખાસ તો તેનાથી હોમ લોન સસ્તી બનશે જેનાથી કન્ઝ્યુમર ડિમાન્ડ વધશે અને તેના કારણે આર્થિક વિકાસ વધશે. જેટલીએ દાવો કર્યો હતો કે વાજપેયી સરકાર સત્તામાં હતી ત્યારે હોમલોનનું વ્યાજ એટલું ઓછું થઈ ગયું હતું કે ભાડે રહેવા કરતા ઘરની લોન ભરવી સસ્તી પડતી હતી.
દેશના મધ્યમ વર્ગને મજબૂત બનાવવા સરકાર સજાગતાપૂર્વ પ્રયાસ કરી રહી છે તેમ કહેતા જેટલીએ જણાવ્યું હતું કે, દરેક બજેટમાં સરકારે ટેક્સના સ્લેબમાં રાહત આપી મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો કર્યો છે. સરકાર જીએસટીના દર પણ નીચે લાવી છે અને ભારતના મધ્યમ વર્ગ, નીઓ-મિડલ ક્લાસ તેમજ ગરીબ વર્ગનું ભવિષ્ય દેશના આર્થિક ભવિષ્ય સાથે સીધી રીતે સંકળાયેલું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2YLwrG9
No comments:
Post a Comment