Latest

Friday, April 12, 2019

એસ્સેલ પ્રકરણ બાદ FMPsના રોકાણકારો ફફડ્યા



68844870

પ્રશાંત મહેશ

મુંબઈ:સુભાષ ચંદ્રના એસ્સેલ ગ્રૂપની કંપનીઓની સિક્યોરિઝીટ ધરાવતાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે ચિંતા વધી રહી છે. કોટક મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમ્સના રોકાણકારોએ તેમના રોકાણ પર ફટકો સહન કરવો પડ્યો છે અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ તેની સ્કીમને રોલઓવર કરવા માંગે છે.

વેલ્થ મેનેજર્સના જણાવ્યા પ્રમાણે એસ્સેલની રિપેમેન્ટની ક્ષમતા અંગે રોકાણકારોમાં ભરોસો નથી. એસ્સેલે નાણાંની પરત ચુકવણી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ અને એનબીએફસી પાસેથી 30સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે. એસ્સેલ ગ્રૂપ પાસે ઝી એન્ટરટેઇન્મેન્ટ અને ડિશ ટીવીની માલિકી છે.

કોટકના છ એફએમપીના રોકાણકારોને સંપૂર્ણ રકમ નહીં મળે જેમની મેચ્યોરિટી 8 એપ્રિલથી 31 મે વચ્ચે આવે છે. એસ્સેલ ગ્રૂપની કંપનીઓ પાસેથી જે પેમેન્ટ નથી મળ્યું તેટલી ચુકવણી પાછળથી કરવામાં આવશે. એફએમપી એ લોક ઈન ધરાવતી ડેટ પ્રોડક્ટ છે અને તેના રોકાણકારોને મેચ્યોરિટી પર પૂરી રકમ ન મળે તેવો આ પ્રથમ કિસ્સો હશે.
જાન્યુઆરીના અંતમાં ઝીની કટોકટી પેદા થઈ ત્યાર બાદ ફંડ હાઉસિસે રોકાણકારોને સમજાવવામાં સફળતા મેળવી હતી કારણ કે પ્રમોટરે તેમને ખાતરી આપી હતી કે તેઓ પોતાની એસેટ વેચીને ઋણ ચૂકવી દેશે. પરંતુ ઝીનો હિસ્સો વેચવાનો સોદો હજુ પૂર્ણ થયો ન હોવાથી રોકાણકારો ચિંતિત છે.

મોતીલાલ ઓસ્વાલ વેલ્થ મેનેજમેન્ટના હેડ (ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝરી) આશિષ શંકરે જણાવ્યું કે, “રોકાણકારોએ એવી સ્કીમમાં રોકાણ ટાળવું જોઈએ જેઓ એસ્સેલ કે ઝી ગ્રૂપમાં હોલ્ડિંગ ધરાવતી હોય. ફંડ મેનેજર્સ સેટલમેન્ટ માટે કામ કરી રહ્યા છે ત્યારે આપણે હજુ નથી જાણતા કે તેમાં આગળ શું થશે. તેથી રોકાણકારોએ અત્યારે રાહ જોવી જોઈએ.” લગભગ આઠ ફંડ હાઉસિસ ઝી અથવા એસ્સેલ ગ્રૂપના પ્રમોટરની વિવિધ સ્કીમમાં હિસ્સો ધરાવે છે.

સંયુક્ત રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ આ કંપનીઓમાં ₹7,000કરોડના મૂલ્યના પેપર ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડ્સે એસ્સેલ પ્રમોટર એન્ટિટીમાં ધિરાણ આપ્યું હતું જેમણે જામીન તરીકે શેર્સ મૂક્યા હતા. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એનબીએફસીએ પ્રમોટર્સના ખાનગી માલિકીના સ્ટ્રક્ચરમાં ધિરાણ આપ્યું હતું જેને ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ રેટિંગ આપ્યું હતું. પ્રમોટર્સે આ નાણાંનો ઉપયોગ બિઝનેસ હેતુ માટે અને વિદેશમાં એસેટ્સ ખરીદવા કર્યો હતો. ઝીના કિસ્સામાં તેમણે જે બિઝનેસમાં પ્રવેશ કર્યો તેમાં ભારે ખોટ ગઈ હતી.

જાન્યુઆરીમાં ઝી અને ડિશ ટીવીના શેરમાં ગાબડા બાદ એસ્સેલ જૂથના રોકડની અછત અનુભવતા સ્થાપકો જામીન આપી શક્યા ન હતા. તેના કારણે એસ્સેલના પ્રમોટર્સે મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે કરાર કર્યા હતા અને તેઓ 30સપ્ટેમ્બર સુધી કોઈ પગલાં ન લેવા માટે સહમત થયા હતા. વેલ્થ મેનેજર્સે જણાવ્યું કે તેમને છેલ્લા કેટલાક દિવસથી ક્લાયન્ટ તરફથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે એસ્સેલ ગ્રૂપના પેપર ધરાવતી સ્કીમનું શું કરવું.

ક્રેડો કેપિટલના સ્થાપક એસ શંકરે કહ્યું કે શેરની સામે લોન અથવા પ્રોપર્ટીની સામે લોન જેવા સ્ટ્રક્ચર નાના રોકાણકારો માટે નથી કારણ કે તેઓ તેનું જોખમ સમજતા હોતા નથી. તમે આવી કોઈ સ્કીમમાં રોકાણ કર્યું હોય તો સરળ ડેટ પ્રોડક્ટમાં સ્વિચ કરો જેની તમે સમજ ધરાવતા હોવ.



from Page Array – I Am Gujarat http://bit.ly/2P7Je0V

No comments:

Post a Comment

Pages