Latest

Monday, April 15, 2019

UAEમાં પ્રથમ BAPS હિંદુ મંદિર અંગેના કાર્યક્રમમાં હાજર રહ્યા મુકેશ અંબાણી

અબુધાબી સરકાર દ્વારા ખાસ ક્રાયક્રમનું આયોજન

અબુધામીમાં બી.એ.પી.એસ.ના મંદિરની શિલાન્યાસવિધિ 20 એપ્રિલના રોજ મંહતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે. તે પહેલા અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન શેખ નાહ્યાન અલ નાહ્યાન દ્વારા રવિવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બી.આર.શેટ્ટી, યુસુફ અલી જેવા 60થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બ્રહ્મવિહારી સ્વામીએ મંદિર અંગેની માહિતી આપી

આ કાર્યક્રમમાં બાપ્સ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે અબુધાબીમાં બની રહેલા હિંદુ મંદિરની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં મંદિર નિર્માણની જાહેરાત થી લઈને તે અંગેનો ઈતિહાસ અને ભવિષ્યની ચર્ચા-વિચારણા કરી હતી.

UAEનું પહેલું શિખરબદ્ધ હિંદુ મંદિર

ઉલ્લેખનીય છે કે UAE(યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબી ખાતે પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજ તા.18થી 29 એપ્રિલ દરમિયાન ખાતમુહૂર્ત-શિલાન્યાસ વિધિ માટે સૌપ્રથમ વખત UAE આવી રહ્યા છે.

20 એપ્રિલે મહંતસ્વામી કરશે ખાતમુહૂર્ત

જે અંતર્ગત તા.૨૦મી એપ્રિલના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પરંપરાગત શૈલીના પ્રથમ BAPS હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ અબુ મુરૈખા ખાતે યોજાશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2GnH8rd

No comments:

Post a Comment

Pages