Latest

Monday, April 1, 2019

મસૂદ પર US એક્શનથી દબાણમાં આવ્યું ચીન, કહ્યું-સકારાત્મક પ્રગતિ

બેઈજીંગઃ પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રયાસો વચ્ચે ચીને સકારાત્મક સંકેત આપ્યો છે. સોમવારે ચીને દાવો કર્યો કે મસૂદને UN દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના મુદ્દે સકારાત્મક પ્રગતિ થઈ છે. જોકે, આ દરમિયાન બેઈજિંગે અમેરિકા પર નિશાન પણ સાધ્યું છે. ચીને કહ્યું કે અમેરિકા ડાયરેક્ટ સુરક્ષા પરિષદ સમક્ષ જ મામલાને ઉઠાવીને તેની કોશિશને બરબાદ કરી રહ્યું છે. ચીને કહ્યું કે આવું કરીને અમેરિકા એક ખરાબ ઉદાહરણ રજૂ કરી રહ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ફ્રાંસની કોશિશ અસફળ તો આગળ આવ્યું US

નોંધનીય છે કે સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ અઝહરને સૂચીબદ્ધ કરવાના ફ્રાંસના પ્રસ્તાવ પર ચીને અડીંગો લગાવવાના 2 અઠવાડિયા પછી અમેરિકાએ 27 માર્ચના રોજ એક મોટું પગલું ઉઠાવ્યું હતું. USએ અઝહરને બ્લેકલિસ્ટ કરવા, તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવા, તેની સંપત્તિ ખરીદ-વેચાણ પર રોક અને હથિયાર રાખવા પ પ્રતિબંધ લગાવવા માટે 15 દેશના શક્તિશાળી પરિષદમાં ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

હવે ચીન બોલ્યું-વિભિન્ન પક્ષના સંપર્કમાં

ચીને ગત અઠવાડીયે જૈશના આકાને વૈશ્વિક આતંકી તરીકે બ્લેકલીસ્ટ કરવામાં વિક્ષેપ નાખવાના વારંવાર કોશિશનો બચાવ કર્યો હતો અને અમેરિકાના તે આરોપથી ઈન્કાર કર્યો હતો કે તેની કાર્યવાહી હિંસક ઈસ્લામિક સમૂહોના પ્રતિબંધથી બચાવે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે સોમવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે,’અઝહર સંબંધિત આવેદનને પ્રસ્તાવના (1267 સમિતિમાં) પછી વિભિન્ન પક્ષ સાથે સંપર્ક અને સમન્વય વધારી રહ્યું છે. જેમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે. અમેરિકા આ સારી રીતે જાણે છે.’

4 વાર મસૂદ માટે ઢાલ બન્યું ચીન

પ્રગતિથી તેનો મતલબ શું અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના મુદ્દાને નીપટાવવાના અર્થમાં છે, આ સ્પષ્ટ કરવાનું કહેવા પર ગેંગે કહ્યું કે,’હા, અમેરિકા ખૂબ જ સારી રીતે આ જાણે છે.’ જોકે, તેણે આ વિશે વધારે કશું જ કહ્યું નહોતું. નોંધનીય છે કે ચીન આ પહેલા પણ ચાર વાર આ પગલા પર મુશ્કેલી બનીને આડે આવ્યું છે.

શું કહ્યું હતું ચીની વિદેશ મંત્રાલયે

ચીને 13 માર્ચના રોજ 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિમાં અમેરિકા, બ્રિટનથી સમર્થિત ફ્રાંસના એક પ્રસ્તાવને એવું કહીને અટકાવ્યો હતો કે તે આ મામલે અધ્યયન અને સમય ઈચ્છે છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પ્રસ્તાવ પર પ્રતિબંધ એવું ધ્યાનમાં રાખીને લગાવ્યો હતો કે પુલવામા આતંકી હુમલા પછી સંબંધિત પક્ષને વાતચીત કરવાનો સમય મળી શકે. જે પછી અમેરિકાએ અઝહરને બ્લેકલિસ્ટ કરવા માટે 27 માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે પછી ચીને કહ્યું હતું કે આ 1267 સમિતિને ઓછી આંકવા બરાબર છે.

પાકિસ્તાનને સબૂત આપી ચૂક્યું છે ભારત

સોમવારે ચીનની ટીપ્પણી સકારાત્મક સંકેત આપી રહી છે. નોંધનીય છે કે 27 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં તૈનાત પાકિસ્તાનના કાર્યકારી ઉચ્ચાયુક્તને ભારતે પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવા, પાકિસ્તાનમાં જૈશના કેમ્પ અને તેના આતંકીઓના હોવા અંગે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો સોંપ્યા હતાં. 14 ફેબ્રુઆરીના રોજ આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતાં. જોકે, પાકિસ્તાનનું કહેવું છે કે તેને પુલવામા હુમલા અને જૈશમાં કોઈ લિંક નથી મળી અને તેણે ભારત પાસેથી વધારે સબૂત માંગ્યા છે. હવે સોમવારે ચીન તરફથી પહેલીવાર ટિપ્પણી કરી કે અઝહર મુદ્દે પ્રગતિ થઈ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2HXcFT1

No comments:

Post a Comment

Pages