Latest

Monday, April 15, 2019

માર્ચમાં WPI ફુગાવાનો દર વધીને 3.18%

68886768

નવી દિલ્હી: ખાદ્ય પદાર્થો અને ઈંધણ મોંઘું થતાં માર્ચમાં જથ્થાબંધ ભાવાંક (WPI)આધારિત ફુગાવાનો દર વધીને 3.18 ટકા નોંધાયો હોવાનું સરકારે જારી કરેલા સત્તાવાર આંકડામાં જણાવાયું હતું.

ગયા ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 2.93 ટકા જ્યારે એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન 2.74 ટકા હતો. માર્ચ મહિનામાં શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળાને પગલે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

ફેબ્રુઆરીના 6.82 ટકાની વૃદ્ધિની સરખામણીમાં માર્ચમાં શાકભાજીના ભાવમાં 28.13 ટકાનો તીવ્ર વધારો જોવા મળ્યો હતો જોકે, બટાટાના ભાવમાં ફેબ્રુઆરીની સરખામણીમાં થોડી રાહત જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં બટાટાના ભાવમાં 23.40 ટકાની વૃદ્ધિની સરખામણીમાં માર્ચમાં માત્ર 1.30 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો હતો.

માર્ચ મહિનામાં ફૂડ બાસ્કેટમાં 5.68 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત માર્ચમાં ઈંધણના ભાવમાં 5.41 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જે, ફેબ્રુઆરીના 2.23 ટકાના ભાવ વૃદ્ધિની સરખામણીમાં વધુ છે.

વ્યાજદરમાં ફેરફાર કરવા માટે રિટેલ ફુગાવાના આંકડાને નજરમાં રાખનાર ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ મહિનાની શરૂઆતમાં તેની સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો.

ગયા અઠવાડિયે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર રિટેલ ફુગાવાનો દર માર્ચમાં વધીને 2.86 ટકા થયો હતો જે, ફેબ્રુઆરીમાં 2.57 ટકા હતો.

RBIએ એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં સામાન્ય ચોમાસાની અપેક્ષા અને ખાદ્ય પદાર્થો અને ઈંધણના ભાવમાં નરમાઈની આશાએ રિટેલ ફુગાવો 2.9-3 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IorApk

No comments:

Post a Comment

Pages