Latest

Tuesday, May 7, 2019

અમદાવાદ: દીકરીને 10મા ધોરણમાં ઓછા માર્ક્સ આવતા IPS અધિકારીની સ્કૂલ સામે ફરિયાદ

અમદાવાદ: સીબીએસઈ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના રિઝલ્ટમાં પોતાની દીકરીને ઈન્ટર્નલ માર્ક્સ ઓછા આવતાં શહેરના JCP વિપુલ અગ્રવાલે સીબીએસઈને ફરિયાદ કરી છે. IPS અધિકારી અગ્રવાલની દીકરી શાહીબાગ સ્થિત રચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમનો સ્કૂલ પર સીધો આક્ષેપ છે કે, તેમની દીકરીને થિયરી એક્ઝામમાં જેટલા માર્ક્સ આવ્યા છે, તેના કરતા સ્કૂલ દ્વારા ખૂબ જ ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે, જેના કારણે તેનું સમગ્ર રિઝલ્ટ ઓછું આવ્યું છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

સીબીએસઈમાં ધોરણ દસમાં પાંચ વિષય હોય છે, અને દરેક વિષયમાં બોર્ડની એક્ઝામમાં કુલ 100 માર્ક્સ હોય છે, જેમાં 80 માર્ક્સનું પેપર જ્યારે 20 માર્ક્સ સ્કૂલ તરફથી આપવાના હોય છે. વિપુલ અગ્રવાલની દીકરીને થિયરીમાં 91 ટકા આવ્યા છે, જ્યારે સ્કૂલ દ્વારા અપાયેલા માર્ક્સમાં તેની ટકાવારી 84 ટકા થાય છે. તેમની દીકરીનું કુલ રિઝલ્ટ 89.5 ટકા આવ્યું છે. તેમનો આક્ષેપ છે કે સ્કૂલે ઓછા માર્ક્સ આપતા તેમની દીકરીનું રિઝલ્ટ 2 ટકા જેટલું ઓછું આવ્યું છે.

વિપુલ અગ્રવાલે CBSEને લખેલા ઈમેલની કોપી વાંચવા અહીં ક્લિક કરો

સીબીએસઈને લખેલા પોતાના પત્રમાં અગ્રવાલે જણાવ્યું છે કે તેઓ સ્કૂલ દ્વારા અપાયેલા ગ્રેડ સામે વાંધો નથી ઉઠાવી રહ્યા, પરંતુ સ્કૂલોને સીબીએસઈ દ્વારા જે છૂટ આપવામાં આવી છે તેની સામે તેમને વાંધો છે. કેટલીક સ્કૂલો સ્ટૂડન્ટ્સને વધારે ગ્રેડ આપતી હોય છે, અને ઈન્ટરનલ એેસેસમેન્ટ તેમજ પ્રેક્ટિલકમાં તે સ્ટૂડન્ટ્સને 100 ટકા આપી દેતી હોય છે. જોકે, કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી તેમને જાણીજોઈને ઓછા માર્ક્સ અપાય છે, જે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને કરાતો અન્યાય છે.

સ્કૂલો દ્વારા કરવામાં આવતી મનમાની સામે સીબીએસઈ પણ લાચાર હોવાનું તેમણે પોતાના પત્રમાં જણાવ્યું છે. એક તરફ જ્યાં સમગ્ર દેશમાં પરીક્ષાના ધારાધોરણ એક સમાન કરવાની વાતો થાય છે ત્યારે આવો ભેદભાવ કેમ તેવો સવાલ પણ અગ્રવાલે ઉઠાવ્યો છે. સ્ટૂડન્ટ્સના ભવિષ્ય સાથે તેના કારણે ચેડા થઈ રહ્યા છે, અને સીબીએસઈ તેમાં કોઈ દખલ નથી કરી શકતું.

વિપુલ અગ્રવાલે એક બીજા વિદ્યાર્થીના પરિણામનો રેફરન્સ પણ પોતાના પત્રમાં ટાંક્યો છે, જેમાં આ સ્ટૂડન્ટને થિયરી એક્ઝામમાં 75 ટકા આવ્યા છે, પરંતુ સ્કૂલ દ્વારા તેને 100 ટકા ઈન્ટરનલ માર્ક્સ અપાયા છે. આ ઉદાહરણ દ્વારા તેમણે ઈન્ટરનલ એસેસમેન્ટ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યો છે. આઈપીએસ અધિકારીએ ઈન્ટરનલ એસેસમેન્ટ સિસ્ટમને સંપૂર્ણ કે આંશિક પણે રદ્દ કરવા, તેના માટે યોગ્ય ધારાધોરણ નક્કી કરવા સહિતની સીબીએસઈને કેટલાક સુઝાવ પણ બોર્ડને આપ્યા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2PNN5AT

No comments:

Post a Comment

Pages