Latest

Friday, May 3, 2019

સ્પાઇસજેટ ચાર મેથી વધુ 19 ફ્લાઇટ્સ ઓફર કરશે

69155151

મુંબઈ:સ્પાઇસજેટે ગુરુવારે સ્થાનિક સ્થળોને જોડવા માટે શહેરોની જોડતી બીજી 19થી વધારે ફ્લાઇટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેનો પ્રારંભ આ વીકએન્ડથી થશે. મહિનાથી પણ ઓછા સમયમાં ચોથી વખત સ્પાઇસજેટ તેની કામગીરી વિસ્તારી રહી છે, તેમાં પણ ગયા મહિને જેટ એરવેઝ ભૂમિગત થયા પછી તેણે ઝડપી વિસ્તરણ હાથ ધર્યું છે.

પહેલી એપ્રિલના રોજ સ્પાઇસજેટે 65 નવી ફ્લાઇટ ઉમેરી હતી, જેમાં મુંબઈને જોડતી 40 ફ્લાઇટ્સ, દિલ્હીને જોડતી દસ ફ્લાઇટ્સ અને મુંબઈ અને દિલ્હીની જોડતી આઠ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

નવી ફ્લાઇટ્સ દૈનિક ધોરણે કામ કરશે, તેમા મુંબઈ-કોચી-મુંબઈ સેક્ટરનો સમાવેશ થતો નથી. તે મંગળવાર સિવાય દરરોજે ચાલશે એમ એરલાઇને જણાવ્યું હતું. આ નવી ફ્લાઇટ્સની સાથે તેની મદુરાઈ, જમ્મુ, કોઇમ્બતૂર, દહેરાદૂન, જયપુર અને ગુવાહાટીની મુંબઈ સાથેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, એમ એરલાઇને જણાવ્યું હતું.

અમે બજારમાં ક્ષમતાની અછતને પહોંચી વળવા માટે બધાં પગલાં લઈ રહ્યા છીએ. આ નવી અને વધારાની ફ્લાઇટ સાથે અમે ઉદ્યોગમાં ચાલી રહેલી કટોકટીની પ્રવાસીઓ પર પડનારી અસરોને ઓછામાં ઓછી કરીશું, એમ ચીફ સેલ્સ અને રેવન્યુ ઓફિસર શિલ્પા ભાટિયાએ જણાવ્યું હતું.

છેલ્લા વિસ્તરણના ભાગરૂપે સ્પાઇસજેટ મદુરાઈથી મુંબઈની સીધી દૈનિક ફ્લાઇટ્સ પરી પાડશે. કોઈ પણ સ્થાનિક લો-કોસ્ટ એરલાઇનની આ રૂટ પર પ્રથમ ફ્લાઇટ હશે. એરલાઇની મુંબઈ-જમ્મુ (વાયા શ્રીનગર), મુંબઈ-દહેરાદૂન-મુંબઈ અને મુંબઈ-ગુવાહાટી-મુંબઈ-ની ફ્લાઇટ્સ પણ શરૂ કરી છે. આ સિવાય તે મુંબઈ-શ્રીનગર, મુંબઈ-કોઇમ્બતૂર-મુંબઈ, મુંબઈ-કોચી-મુંબઈ અને મુંબઈ-જયપુર-મુંબઈના રૂટ પર સીધી ફ્લાઇટ્સ ધરાવે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IX3OBc

No comments:

Post a Comment

Pages