અક્ષચ તૃતીયાના દિવસે આ પ્રયોગથી આર્થિક સંકળામણ દૂર થાય

અક્ષય તૃતીયાના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે સોનું ખરીદો કે પછી કોઈ નવી વસ્તુ ખરીદો કે પછી કોઈ માંગલિક કાર્ય હોય. બધા જ પ્રકારે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ મંગળકારી અને શુભ મનાય છે. આ દિવસે કેટલાક ખાસ પ્રયોગથી ક્યારેય ઘરમાં રુપિયાની અછત સર્જાતી નથી અને તીજોરી તેમજ ભંડાર ભરેલા રહે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સોના ચાંદી જ નહીં આ પણ ખરીદો

અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનું ચલણ વધારે છે. આ દિવસે સોનું ઉપરાંત લક્ષ્મીજીની ચરણ પાદુકા લઈને રોજ નિયમિત રુપે પૂજા કરો. ક્યારેય જીવનમાં રુપિયાની અછત નહીં રહે.
કોડીનો પ્રયોગ

અક્ષય તૃતિયાના દિવસે 11 કોડીને લાલા કપડામાં બાંદીને પૂજા સ્થાને રાખો. આટલું કરવાથી ચોક્કસ દેવી લક્ષ્મીનો આશિર્વાદ મળશે અને રુપિયા તમારી તરફ ખેંચાઈ આવશે. માન્યતા છે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થતી કોડી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે.
હળદર અને કેસરથી કરો પૂજા

અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા સામગ્રીમાં કેસર અને હળદરનો સમાવેશ કરો. માતા લક્ષ્મીને આ દિવસે હળદર અને કેસરનું તિલક કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
આ પ્રકારનું નારિયેળ લઈ આવો

અક્ષય તૃતીયાના દિવસે પૂજાઘરમાં એકાક્ષી નારીયેળ સ્થાપિત કરવાથી ભક્તોને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પૂજા સ્થાને આ પ્રકારના નારીયેળને રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ વસ્તુઓનું દાન કરો

અક્ષય તૃતીયાના અવસરે તમે તમારા પિતૃઓ અને પૂર્વજોને પ્રસન્ન કરો. તેમને પ્રસન્ન કરવા માટે તમે જળ કળશ, પંખો, છત્રી, સત્તુ, કાકડી, ખરબુજુ, સાકર, ઘી વગેરે વસ્તુઓનું સીધુ બ્રાહ્મણને દાન આપવું જોઈએ છે. એટલું જ નહીં આ દિવસે ગાય, જમીન, તલ, સ્વર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, મધ અને કન્યાદાનનું પણ ખૂબ જ મોટું મહત્વ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2LnktzK
No comments:
Post a Comment