જ્વલિત વ્યાસ
ઇટી ઇન્ટેલિજન્સ ગ્રુપ
ભારતની વપરાશગાથામાં નરમાઈની વચ્ચે ટાઇટને વર્તમાન નાણાકીય વર્ષમાં 20 ટકાના વૃદ્ધિના ગાઇડન્સ જાળવ્યા છે. ભારતના સૌથી મોટા ઝવેરીએ જણાવ્યું હતું કે ગયું નાણાકીય વર્ષ સારું રહ્યું ન હતું, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષના પ્રારંભથી જ સ્થિતિ બદલાવવા માંડી છે. આ સિવાય માળખાકીય ફેરફારોના લીધે પણ મદદ મળી છે.
આ વૃદ્ધિ સાથે ટાઇટન ભારતમાં સૌથી ઝડપથી વિકસતી કન્ઝ્યુમર કંપની બની ગઈ છે અને તે ઉદ્યોગને આઉટપર્ફોર્મ કરી શકે છે. મૂલ્યની રીતે જોઈએ તો નાણાકીય વર્ષ 2019-20ના નફાએ તે 50 ગણી છે, ટાઇટનનો શેર ઉદ્યોગની સરેરાશ કરતાં 45 ગણો વધારે છે.
ટાઇટનના સીએફઓ સુબ્બુ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “અમે છેલ્લા બે વર્ષમાં ઝવેરાત ઉદ્યોગના મોરચે નબળાઈ જોઈ છે. અમે જાણીએ છીએ કે મોટાભાગના ઝવેરીઓની સ્થિતિ નબળી છે, જે બાબત અમારા જેવી સંગઠિત ક્ષેત્રની કંપની માટે સારી બાબત છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અમારો બજારહિસ્સો વધ્યો છે. બજાર ઘણું વિશાળ છે અને અમારો હિસ્સો ફક્ત પાંચ ટકા છે.
સુબ્રમણ્યમ માર્જિનના મોરચે કોઈપણ પ્રકારના ગાઇડન્સ આપતા અટકતા અટકા પણ જણાવ્યું હતું કે 20 ટકાના જેટલી વૃદ્ધિ કરીશું, તેમને લાગે છે કે ઓપરેટિંગ લિવરેજના ફાયદા તેમને મળવા લાગશે. કંપનીએ ઉમેર્યું હતું કે કુલ 2018-19માં કુલ 115 સ્ટોર્સની સાથે 1,30,000 ચોરસ ફૂટ ઉમેર્યા હતા.
ટાઇટને 2018-19માં વેચાણવૃદ્ધિમાં 23 ટકા વધારો થયો નોંધાવ્યો છે અને ચોખ્ખા નફામાં 26 ટકા વધારો નોંધાવ્યો છે. કંપની લગ્નના ઝવેરાતના ઊંચા વેચાણ પર મદાર બાંધી રહી છે. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે કંપનીના ઝવેરાતના કુલ વેચાણમાં લગ્નના ઝવેરાતનો હિસ્સો 20 ટકા છે, જે ત્રણ વર્ષ પહેલા દસ ટકાથી ઓછો હતો.
અમે હવે આ હિસ્સો 35 ટકાએ લઈ જવાનો ઇરાદો ધરાવીએ છીએ. લગ્નના ઝવેરાતમાં ઘણી જટિલતાઓ હોય છે અને તેના માર્જિન પણ ઊંચા હોય છે. નાણાકીય વર્ષ 2019-20માં ગયા વર્ષની તુલનાએ 40 ટકા વધારે લગ્નની તારીખો હતી. ઝવેરાતનો હિસ્સો કુલ આવકમાં 81 ટકા અને કુલ નફામાં 89 ટકા છે.
માર્ચના છેલ્લા ક્વાર્ટરમાં ટાઇટને 4,823 કરોડનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 19 ટકાની વૃદ્ધિ દર્શાવે છે અને ચોખ્ખા નફાના સ્તરે 12 ટકાની વૃદ્ધિ સાથે તેણે ₹353 કરોડનો ચોખ્ખો નફો નોધાવ્યો હતો.
ઇન્વેન્ટરીની અસરના લીધે નફાકારકતા ઘટી હતી અને આઇએલ એન્ડ એફએસ જૂથમાં ₹145 કરોડના રોકાણની જોગવાઈ કરવામાં આવી હતી. ઇન્વેન્ટરીને પડેલો ફટકો આગામી ક્વાર્ટરોમાં એડજસ્ટ કરવામાં આવશે. IL&FSને લાગે છે ત્યાં સુધી મેનેજમેન્ટે તેના માટે જોગવાઈ છે અને હવે જો IL&FS પાસેથી કોઈ પેમેન્ટ મળશે તો તે ફાયદો જ હશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HdGyg6
No comments:
Post a Comment