ગુવાહાટીઃ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને હૃદયમાં સાચી ભાવના હોત તો ગમે તેવું કપરું કામ પણ સફળતાથી પાર પડી જાય છે. અસમના જોરહાટમાં એક દંપતીએ માનવતાનું અનોખું ઉદાહરણ લોકો સામે રાખ્યું છે. પતિ દેવવ્રત અને પત્ની સંતના શર્માએ પોતાના જીવનનો મોટો ભાગ યુવાઓના અભ્યાસ અને બાળકો સાથે સમય પસાર કરવામાં વિતાવ્યો છે. જોકે, જ્યારે તેમના પર્સનલ જીવનની વાત આવી તો તેમણે 25 વર્ષ નિઃસંતાન રહેવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં જ ઉત્તરી આસામમાં ચાના બગીચામાં થયેલી દુર્ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું હતું. હવે તેમણે ચાર બાળકોને દત્તક લીધા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
લઠ્ઠાકાંડમાં મરી ગયા હતા બાળકોના પેરેન્ટ્સ
આસામના ગોલાઘાટ અને જોરહાટમાં આ ફેબ્રુઆરીમાં જ ગેરકાનૂની દારુ પીવાના કારણે 150થી વધારે લોકો મોતને ભેટ્યા હતાં. આ કારણે તેમના અનેક બાળકો અનાથ થઈ ગયા હતાં. દંપત્તીએ એવા જ ચાર અનાથ ભાઈ-બહેનોનો ઉછેર કરવાનો નિર્ણય કર્યો. તેમણે એપ્રિલના અંતમાં જ બાળ કલ્યાણ સમિતિ (CWC)ની સહમતિ પછી ચારે બાળકોને દત્તક લીધા અને ઘરે લાવ્યાં હતાં.
પહેલીવાર હાથમાં પકડ્યા પુસ્તકો
દેવવ્રત જોરહાટ કોલેજના પ્રિન્સીપલ છે. જ્યારે તેમની પત્ની સંતના જોરહાટ જાતિ વિદ્યાલયના પ્રિન્સીપલ છે. જોરહાટ જાતિ વિદ્યાલય એક સ્થાનીક ભાષાની સ્કૂલ છે. જે સામૂહિક સહાયતાથી ચાલે છે. ચારે બાળકો હલમીરા ચાના બગીચામાં માતા-પિતા સાથે રહેતા હતાં. આ તે જ સ્થાન છે. જ્યાં ઝેરી દારુ પીવાથી ઘણાં લોકો મોતને ભેટ્યા હતાં. જે બાળકોનો અભ્યાસ દૂર હતો અથવા તો બાળકો અભ્યાસથી છૂટી ગયા હતાં તેઓ પણ શર્મા પરિવારમાં પગ રાખતાં જ પુસ્તકોની દુનિયામાં ડૂબી ગયા હતાં. અહીં આવીને ચારેય ભાઈ-બહેનોને પોતાના જીવનનો એક નવો અર્થ જાણવાની તક મળી.
સમાજ સેવા માટે નિઃસંતાન રહેવાનો નિર્ણય
દંપતીએ જણાવ્યું કે લગ્ન પછી બન્નેએ નિઃસંતાન રહેવાનો નિર્ણય કર્યો હતો. તેઓ બન્ને ઈચ્છતાં હતાં કે પોતાનું જીવન અને સમય સમાજની સેવામાં જ વ્યતિત કરે. તેમણે કહ્યું કે,’અમે સમાજને પ્રાથમિકતા આપી અને 25 વર્ષ સુધી નિઃસંતાન રહ્યાં. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે માતા-પિતા બનીશું. જોકે, એક સામાજિક કાર્ય માટે અમારે અમારો નિર્ણય બદલવો પડ્યો.’
બાળકોના રાખ્યા નામ
દેવવ્રત અને સંતનાએ બાળકોના નામ પણ રાખ્યાં છે. 11 વર્ષના બાળકનું નામ મરોમ, નવ વર્ષના બાળકનું નામ સેનેહ, સાત વર્ષના બાળકનું નામ અડોર અને 3 વર્ષના બાળકનું નામ હેપાહ રાખ્યું છે. જો સીડબલ્યૂ સી પેનલ બાળકોના ઉછેરથી સંતુષ્ટ થશે તો દંપતીને આ ચારે બાળકોને સમગ્ર રીતે દત્તક લેવા માટે ઓફિશ્યિલ કરશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2H6rEby
No comments:
Post a Comment