Latest

Monday, May 6, 2019

25 બોલમાં એકપણ રન ન બનાવી શક્યો આ બેટ્સમેન, આકાશ ચોપરાએ કહ્યું – રિટાયર થઈ જા!

મુંબઈ સામે કારમી હાર સાથે KKR બહાર

IPL12માં પોતાની કરો અથવા મરો વાળી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યંત ખરાબ રમત દેખાડી. ટૉસ હારની પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા 20 ઓવરમાં માત્ર 133 રન જ બનાવી શકી. જવાબમાં મુંબઈએ 16.1 ઓવરમાં ટાર્ગેટ મેળવી લીધો. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્મા (48 બોલમાં અણનમ 55) અને સૂર્યકુમાર યાદવ (27 બોલમાં અણનમ 46)એ શાનદાર ઈનિંગ્સ રમી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

નિર્ણાયક મેચમાં રસેલ નિષ્ફળ

બીજી તરફ કોલકાતાને પ્રથમ છ ઓવરમાં સારી શરૂઆત મળી હતી. પણ, શુભમન ગિલના આઉટ થતાની સાથે જ ટીમ લથડીયા ખાવા લાગી. જોકે, ક્રિસ લિને 41 રનની શાનદાર ઈનિંગ્સ રમી પણ તેના સિવાય કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. દરેક વખતની જેમ આ વખતે પણ ટીમ આન્દ્રે રસેલ પર નિર્ભર હતી પણ તે ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો.

ઉથપ્પાની કંગાળ બેટિંગ

કેપ્ટન દિનેશ કાર્તિક અને રોબિન ઉથપ્પા જેવા અનુભવી ખેલાડીઓ પણ તદ્દન નિષ્ફળ રહ્યાં. ઉથપ્પાએ 40 રન તો બનાવ્યા પણ આના માટે તેણે 47 બોલ લીધા. બીજી તરફ દિનેશ કાર્તિક 9 બોલમાં માત્ર 3 રન જ બનાવી શક્યો.

47 બોલમાં 40 રન, 25 ડૉટ બોલ

ખાસ કરીને રૉબિન ઉથપ્પાની વાત કરીએ તો તે 47માંથી 25 પર એકપણ રન બનાવી શક્યો નહીં. 11મી ઓવર ફેંકી રહેલા મિચેલ મેક્લેનેઘને ઉથપ્પાને આખી ઓવરમાં એકપણ રન બનાવવા દીધો નહીં. તેના બેટ પણ બોલ આવી જ નહોતો રહ્યો, જેના કારણે તેની ઈનિંગ ખૂબ ધીમી રહી. KKRની હાર બાદ માત્ર ફેન્સ જ નહીં પણ સીનિયર ખેલાડીઓ અને કોમેન્ટેટર્સે પણ ઉથપ્પાની બેટિંગ પર સવાલ પેદા કર્યા.

ઉથપ્પાને માની રહ્યાં છે હારનું કારણ

આ નિર્ણાયક મેચમાં KKRએ પ્લેઑફમાં સ્થાન નક્કી કરવા માટે મુંબઈને હરાવવું જરૂરી હતું પણ જો તે હારી જાય તો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઑફ માટે ક્લૉલિફાઈ થતું હતું અને તેવું જ થયું. મોટાભાગના લોકો આનું કારણ રોબિન ઉથપ્પાની ધીમી બેટિંગને જ માની રહ્યાં છે.

આકાશ ચોપરાએ આપી રિટાયર થવાની સલાહ

જાણીતા કૉમેન્ટેટર આકાશ ચોપરાએ તો ઉથપ્પાને રિટાયર થવાની સલાહ આપી દીધી. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘રિટાયર્ડ આઉટ.’ બીજી તરફ હર્ષા ભોગલેએ લખ્યું, ‘રોબિન ઉથપ્પા સંઘર્ષ કરતો દેખાયો. એક રીતે તે દલદલમાં ફસાયેલો હતો, જેટલો વધારે પ્રયત્ન કરતો હતો તેટલો જ વધારે ફસાઈ રહ્યો હતો. સારા ખેલાડીનો પણ ખરાબ દિવસ આવે છે. ઉથપ્પાનો આ દિવસ નિર્ણાયક મેચ વખતે જ આવ્યો. આવો દિવસ તમે ભૂલાવી દેવા માગશો.’



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Y9w9aJ

No comments:

Post a Comment

Pages