Latest

Sunday, May 19, 2019

અંબાજી દર્શન કરી પરત ફરતાં પરિવારને નડ્યો અકસ્માત, 2ના મોત

અંબાજીથી પરત ફરતી વખતે અકસ્માત

અમદાવાદનો કૌશલ પરિવાર વેગનઆર કાર લઈને રવિવારે અંબાજી દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે એક વાગ્યાની આસપાસ અંબાજી-હડાદ રોડ પર કાર અચાનક જ સાઈડના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. જેમાં બેસેલા સાત મુસાફરોમાંથી બેના મોત થયા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

7 વર્ષીય બાળકી સહિત કુલ 2ના મોત

મળી રહેલી માહિતી મુજબ અમદાવાદનો પરિવાર અંબાજીથી પરત ફરી રહ્યો હતો. તે સમયે કાર નંબર GJ 27 AP 9110ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ઘડાકા સાથે અથડાઈ હતી. જેમાં 53 વર્ષીય લક્ષ્મીબેન અને 7 વર્ષીય બાળકી સાક્ષીનું મોત થયું છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડાયા

આ સાથે અન્ય પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને દાંતા રેફર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્મતાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JooYbq

No comments:

Post a Comment

Pages