Latest

Monday, May 20, 2019

‘કસૌટી ઝિંદગી કી 2’ને કેમ અલવિદા કહેશે પ્રેરણા? સામે આવ્યું અસલી કારણ

‘કસૌટી…’ને અલવિદા કહેશે એરિકા?

‘કસૌટી ઝિંદગી કી 2’માંથી હિના ખાને બ્રેક લીધા બાદ હવે પ્રેરણાનો રોલ કરી રહેલી એરિકા ફર્નાન્ડિઝ પણ શોને બાય-બાય કહેવાની તૈયારી કરી રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે એરિકાને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે એરિકા હિના ખાનના પગલે ચાલી રહી છે અને શો છોડવાની છે. ‘કસૌટી ઝિંદગી કી 2’ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી તે સતત ટીઆરપી અને સોશિયલ મીડિયાના મામલે ટોપ પર ચાલી રહી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

એરિકાની એગ્ઝિટ પબ્લિસિટી સ્ટંટ?

સૂત્રોએ બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે એરિકા શો છોડી રહી હોવાના સમાચાર પબ્લિસિટી સ્ટંટ છે. થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું કે કરણ સિંહ ગ્રોવરને મિસ્ટર બજાજના રોલ માટે પસંદ કરાયો છે અને રોનિત રોયે પંણ તેને આ આઈકોનિક રોલને આગળ ધપાવવા માટે આશીર્વાદ આપ્યા છે.

ધમાકેદાર એન્ટ્રી સાથે પરત ફરશે

સૂત્રોએ પિન્કવિલાને જણાવ્યું હતું કે, ‘હિના ખાન શોમાંથી બ્રેક લઈ રહી છે, તેના કારણે શોના મેકર્સ પણ વધુ એકની એગ્ઝિટ કરાવી ડ્રામાને વધારવા માગે છે. ટ્રેક પ્રમાણે કોમોલિકા પોતાના છેલ્લા ટ્રેકમાં પ્રેરણાં પહાડ પરથી ધક્કો મારશે અને બાદમાં પ્રેરણા ગાયબ થઈ જશે. જે બાદ ડાયરેક્ટર મિસ્ટર બજાજ સાથે પ્રેરણાની ધમાકેદાર એન્ટ્રી કરાવશે. મેકર્સ ઈચ્છે છે કે આ સ્ટોરી દ્વારા દર્શકો સતત શો સાથે જોડાયેલા રહે’.

‘કસૌટી ઝિંદગી કી 2’માં આવશે ટ્વિસ્ટ

‘કસૌટી ઝિંદગી કી 2’માં આવનારો આ ટ્વિસ્ટ જોવો દર્શકો માટે પણ રસપ્રદ રહેશે. રિપોર્ટનું માનીએ તો એરિકા શોમાં એક નવા અવતાર સાથે શોમાં પરત ફરશે. થોડા દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હિના ખાનને અનુરાગ ધક્કો મારીને બહાર કાઢે છે અને તે જ એક્ટ્રેસનો છેલ્લો એપિસોડ હશે. જો કે હિના ખાને કહ્યું કે બોલિવુડમાં પ્રોજેક્ટ પૂરા થશે તરત જ હું શોમાં પરત ફરીશ.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YGnBsl

No comments:

Post a Comment

Pages