Latest

Thursday, May 23, 2019

‘કસૌટી ઝિંદગી કી 2’માં અનુરાગ નહીં, મિસ્ટર બજાજ સાથે લગ્ન કરશે પ્રેરણા?

‘કસૌટી…’માં થશે મિ.બજાજની એન્ટ્રી

એક્તા કપૂરની પોપ્યુલર ટીવી સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી 2’ પાર્થ સમથાન, એરિકા ફર્માન્ડિસ અને હિના ખાન લીડ રોલમાં છે. શો શરૂ થયો ત્યારથી જ સીરિયલ ટીઆરપીમાં નંબર 1 પર ચાલી રહી છે. ગત એપિસોડમાં કોમોલિકાનો બાસુ પરિવાર સામે પ્રેરણાએ પર્દાફાશ કર્યો હોવાનું જોવા મળ્યું. હિના ખાનની એક્ઝિટ થયા બાદ હવે શોમાં મિસ્ટર બજાજની એન્ટ્રી થવાની છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કરણ સિંહ ગ્રોવરનું નામ થયું ફાઈનલ?

કરણ સિંહ ગ્રોવરને મિસ્ટર બજાજના રોલ માટે ફાઈનલ કરાયો હોવાનો ટેલિવુડમાં ગણગણાટ છે. જેવી રીતે સીરિયલની પહેલી સીઝનમાં પ્રેરણાએ મિસ્ટર બજાજ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે શોની બીજી સીઝનમાં પણ તેવું જ થવાનું છે. પ્રેરણા અને મિસ્ટર બજાજ આવનારા એપિસોડમાં એકબીજા સાથે લગ્ન કરશે.

મિ.બજાજ સાથે લગ્ન કરશે પ્રેરણા?

એક રિપોર્ટ પ્રમાણે આવાનારા એપિસોડમાં બાસુ પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડશે કારણ કે કોમોલિકા બાસુ પબ્લિકેશ અને બાસુ હવેલીની એકમાત્ર માલિક છે. પ્રેરણા મિસ્ટર બજાજ સાથે અનુરાગ અને તેના પરિવારના સભ્યોને નાદારીથી બચાવવા માટે લગ્નના બંધનમાં બંધાશે.

આવનારા એપિસોડમાં આવશે ટ્વિસ્ટ

આ વિશે વાત કરતાં એક સૂત્રએ કહ્યું કે, ‘કોમોલિકા, પ્રેરણા પર જીવલેણ હુમલો કરશે. આ બાદ બાસુ પરિવારને લાગશે કે પ્રેરણા હવે આ દુનિયામાં નથી. પરંતુ પ્રેરણા જીવતી રહેશે અને સ્વિટ્ઝરલેન્ડથી મિસ્ટર બજાજ સાથે વાપસી કરશે. બાસુ પરિવારને નાદારીથી બચાવવા માટે બાસુ પબ્લિકેશન અને હવેલીને બચાવવા માટે મિસ્ટર બજાજની સાથે પ્રેરણા લગ્ન કરશે’.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JzIguM

No comments:

Post a Comment

Pages