કોણ ભજવશે મિ.બજાજનો રોલ?

ટીવી સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી 2’ પોતાના ટ્વિસ્ટને લઈને સતત ચર્ચામાં છે. કોમેલિકા એટલે કે હિના ખાનની શોમાંથી એગ્ઝિટ બાદ હવે મિસ્ટર બજાજની એન્ટ્રી થવાની છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે એક્તા કપૂરના આ શોમાં આ આઈકોનિક રોલ કોણ ભજવશે? મિસ્ટર બજાજના રોલ માટે આમ તો પહેલા જ ઘણા મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે, તેમાંથી એક રોનિત રોય પણ છે. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે એક્તા કપૂરના લિસ્ટમાં તે સૌથી પહેલા ક્રમે છે અને શોની બીજી સીઝનમાં પણ તે જ મિસ્ટર બજાજ બનશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રોનિત રોયને કરાયો અપ્રોચ?

એક્તા કપૂરની સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ની પહેલી સીઝનમાં રોનિત રોયે જ મિસ્ટર બજાજનો રોલ કર્યો હતો. તેવામાં એવો તર્ક લગાવવામાં આવી રહ્યો છે કે બીજી સીઝનમાં તેનાથી સારો રોલ કોઈ ભજવી શકે નહીં. રોનિત રોયે આ વિશે વાત કરતાં તેનું અલગ રિએક્શન સામે આવ્યું છે.
એક્ટરે શું કહ્યું?

રોનિત રોયે કહ્યું કે, ‘આ સમાચાર છાપતાં પહેલા કોઈએ મને પૂછ્યું કેમ નહીં? ક્યાંક તેમણે મને ભૂલથી રોહિત તો નથી સમજી લીધો ને?’. આમ કહી રોનિત રોયે તે સ્પષ્ટ કરી દીધો છે કે આ રોલ માટે તેને અપ્રોચ કરાયો નથી. જેવું જ રોલ માટે એક્ટરનું નામ ફાઈનલ થઈ જશે કે તરત જ શૂટિંગ શરૂ થઈ જશે. રિપોર્ટ પ્રમાણે મિસ્ટર બજાજની એન્ટ્રીવાળો ટ્રેક સ્વિટ્ઝરલેન્ડમાં શૂટ કરવામાં આવશે.
કરણ સિંહ ગ્રોવરને કાસ્ટ કરાયો?

કસૌટી ઝિંદરી કી 2 માટે પહેલા હિતેન તેજવાણીને અપ્રોચ કરાયો હોવાના સમાચાર હતા અને તે બાદ કરણ વાહીનું નામ સામે આવ્યું હતું. જો કે તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે મિસ્ટર બજાજના રોલ માટે કરણ સિંહ ગ્રોવરને કાસ્ટ કરાયો છે.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2JvkOyD
No comments:
Post a Comment