Latest

Thursday, May 9, 2019

35 મિનિટની સર્જરીએ બદલી નાંખી લાઈફ, ચાર વર્ષમાં ઘટી ગયું 214 કિલો વજન

ચાર વર્ષમાં ઉતાર્યું 214 કિલો વજનઃ

મુંબઈઃ તેના મહોલ્લામાં આ છોકરીને બધા જાડીના નામથી જ ઓળખતા હતા. અમિતા રાજાણીનું વજન એ હદે વધારે હતું કે ચાલવા-ફરવાનું તો ઠીક, તે પોતાના પગ પર ઊભી પણ રહી નહતી શકતી. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં તેનું જીવન એકદમ બદલાઈ ગયું. અમિતાએ જાડી છોકરીની ઓળખ તો બદલી જ પણ સાથે સાથે તેનું 300 કિલોનું વજન ઘટીને 86 કિલો થઈ ગયું. અમિતા હવે સામાન્ય જીવન જીવે છે અને પહેલા કરતા સારુ ફીલ કરે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે સ્થૂળતાને કારણે તે 10 વર્ષ સુધી ઘરની બહાર પણ નહતી નીકળી. સ્થૂળતા ઓછી કરવા માટે છેલ્લા 4 વર્ષમાં અમિતાની બે બેરિયેટ્રિક સર્જરી કરાઈ છે. તેનાથી અમિતાનું વજન 214 કિલો ઘટી ગયું છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્થૂળતાને લોકો ઘણીવાર લાઈફ સ્ટાઈલ સાથે જોડી દે છે પરંતુ આ એક બીમારી છે જે જીન્સ કે હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

સર્જરીએ બદલી નાંખી લાઈફઃ

રાજાણીએ કહ્યું, “સર્જરી પહેલા મારુ જીવન ખરેખર અસ્તવ્યસ્ત હતું. મારે કપડા બદલવા જેવી સામાન્ય ક્રિયા માટે પણ મદદની જરૂર પડતી. હું આઠ વર્ષ પથારીવશ હતી અને એ વર્ષો દરમિયાન મેં સૂર્ય પ્રકાશ સુદ્ધાં નહતો જોયો. હું ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી.” હાલત એવી હતી કે તેનો છ મહિનાનો ભત્રીજો તેને જોઈને ડરી જતો અને રડવા માંડતો. ત્યાર પછી રાજાણીએ અત્યાર સુધી 6000 બેરિયાટ્રિક સર્જરી કરી ચૂકેલા ડો. શશાંક શાહનો સંપર્ક કર્યો. ડો. શાહ જણાવે છે, “સ્થૂળતા એ અનેક રોગોની જનની છે અને દરેક ત્રીજા ભારતીયને અસર કરે છે. આ રોગ મહિલાઓમાં વધારે જોવા મળે છે. સર્જરી થોડી અટપટી હોય છે અને તેનો ખર્ચ ત્રણથી પાંચ લાખ આવે છે પરંતુ ભારતમાં ઘણા લોકો આ કરાવવા તૈયાર છે.”

16 વર્ષની ઉંમરે 126 કિલો વજનઃ

અમિતાના પરિવારજનોએ જણાવ્યા મુજબ જન્મ બાદ અમિતાનું વજન સામાન્ય હતું પરંતુ જેમ જેમ તેની ઉંમર વધવા માંડી, વજન પણ ઝડપથી વધવા માંડ્યું. 16 વર્ષની ઉંમરે તેનું વજન 126 વર્ષ થઈ ગયું હતું. અમિતાના બેરિયેટ્રિક સર્જન ડો. શશાંક શાહે જણાવ્યું કે વજન વધવાને કારણે અમિતા 10 વર્ષ સુધી ઘરની બહાર સુદ્ધાં નહતી નીકળી. 4 વર્ષ પહેલા અમિતાને તપાસ માટે સોફા પર બેસાડી વિશેષ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સુધી લવાઈ હતી. ત્યાર પછી ઓપરેશન થિયેટર સુધી લાવવામાં 20થી વધુ લોકોની જરૂર પડી હતી. વજન ઓછુ કરવા માટે અમિતાએ બે સર્જરી, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી અને ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી. વજનને કારણે તેની શારીરિક ક્રિયા લગભગ બંધ થઈ ગઈ હતી. તેને કારણે તેને ટાઈપ ટુ ડાયાબિટીસ, કિડની અને સ્ટ્રેસ જેવી અનેક સમસ્યા થઈ ગઈ હતી.

15-16 ટુવાલ વપરાતાઃ

અમિતાના પરિવારજન અને ડોક્ટરો પાસેથી મળેલી જાણકારી મુજબ 4 વર્ષમાં સાફ સફાઈ અને અમિતાની દેખ રેખમાં સેંકડો ટુવાલ વપરાયા હતા. અમિતા શરૂઆતમાં નાહી પણ નહતી શકતી. આથી સાફસફાઈ માટે રોજ 15-16 ટુવાલનો ઉપયોગ કરવો પડતો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હજુ એક વર્ષમાં અમિતાનું વજન 10થી 12 કિલો ઘટી શકે છે.

સર્જરીમાં સંકળાયેલા છે રિસ્કઃ

સર્જરીમાં પેટની સાઈઝ ઘટાડી દેવાય છે જેથી તેમાં ઓછુ ભોજન જાય અને તમારુ પેટ જલ્દી ભરાઈ જાય. આને કારણે વજન ઘટવા માંડે છે. આ મેજર સર્જરી હોવાથી તેમાં ઈન્ફેક્શન, બ્લડ ક્લોટ, ડાયાબિટીસને કારણે કિડની ફેલ્યોર જેવા રિસ્ક સંકળાયેલા છે.રાજાણીએ જણાવ્યું કે પહેલા તો સાઈડ ઈફેક્ટ્સ જોતા તેણે સર્જરી કરાવવાની ના પાડી દીધી પરંતુ ડો. શાહે તેને મનાવી લીધી. તેણે હિન્દુજા અને લીલાવતી હોસ્પિટલમાં બે સર્જરી કરાવી. મેડિકલ ટીમે સર્જરી પછી 30 દિવસ મોનિટરિંગ કર્યું અને બ્લડ ક્લોટ અટકાવવા ઈન્જેક્શન આપ્યા. તથા ફિઝિયોથેરાપી અને બ્રીધીંગ એક્સરસાઈઝ પણ કરાવી. રજાણી કહે છે, “હું હવે જાણે સ્વર્ગમાં પહોંચી ગઈ છું. હું જે ઈચ્છું તે પહેરી શકું છું અને જે ઈચ્છું તે ખાઈ શકું છું. સર્જરી પછી મેં આખા દેશમાં ટ્રાવેલ કર્યું. “



from Page Array – I Am Gujarat http://bit.ly/2H9YwQo

No comments:

Post a Comment

Pages