Latest

Sunday, May 19, 2019

ઓઢવ પમ્પિંગ સ્ટેશનમાં ગેસ ગળતરથી 4 મજૂરોના મોત, AMCની પગલા ભરવાની ખાતરી

પમ્પિંગ સ્ટેશનમાં મજૂરોના મોત

અમદાવાદઃ ઓઢવમાં પમ્પિંગ સ્ટેશનમાં ગેસ ગળતરની ઘટનામાં 4 મજૂરોના અકસ્માતે મોત થયા છે. અંબિકાનગરમાં આવેલા આ પમ્પિંગ સ્ટેશનમાં બનેલી દુર્ઘટના અંગે ઓઢવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. આ પંમ્પિંગ સ્ટેશનનો કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો હતો તે જવાબદાર ઠરશે તો તેની સામે પણ પગલા ભરવામાં આવશે. આ દુર્ઘટના શનિવારે રાત્રે બની હતી જેમાં મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. આ મજૂરો સુરક્ષા સાધનો વગર કામ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ચાર મજૂરોએ ગુમાવ્યો જીવ

પમ્પિંગ સ્ટેશનમાં જોખમી કામ કરનારા મજૂરોને ઓક્સિજન માસ્ક પૂરા પાડવામાં નહોતા આવ્યા તે ઘટનામાં બહાર આવ્યું છે. સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, “એક મજૂર કૂવામાં પડ્યા પછી અન્ય ત્રણ પણ તેની પાછળ પડ્યા હતા અને તે ચારેનું ગેસ ગળતરના કારણે તેમણે જીવ ગુમાવ્યો છે.” જીવ ગુમાવનારા મજૂરોમાં રમેશ ચૌહાણ (38), રાજસ્થાનનાના લાલસિંહ મારવાડી (26) અને ઉત્તર પ્રદેશના શ્રૃજાભાઈ (25) એમ ચાર જણાના આ ઘટનામાં મોત નિપજ્યા છે.

પોલીસે શરુ કરી છે તપાસ

ઝોન 5ના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, મૃતદેહોને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અને આ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. મકવાણાએ આગળ જણાવ્યું કે, આ કેસમાં એ પણ તપાસ કરવામાં આવશે કે મજૂરોને સેફ્ટી ઈક્યુપમેન્ટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં, જો આમ નહીં થયું હોય તો આ અંગે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવશે.

AMCએ આપી પગલા ભરવાની ખાતરી

આ કેસમાં AMCએ પણ બેદરકારો સામે પગલા ભરવામાં આવશે તેવી ખતરી આપી છે. ડેપ્યુટી કમિશનરે આ અંગે પત્રકારો સાથે વાત કરીને જણાવ્યું કે, આ ઘટનામાં જે લોકો જવાબદાર હશે તેમની સામે પગલા ભરવામાં આવશે. અને ગેસ ગળતર કઈ રીતે થયો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. ડે. કમિશનરે કહ્યું કે, જો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ સેફ્ટી મેઝર્સમાં કોઈ પણ ચૂક કરી હશે તો તે અંગે બેદરકારીના પગલા ભરવામાં આવશે.

કઈ રીતે ચાર મજૂરો કૂવામાં પડ્યા?

એક મજૂર કૂવામાં પડ્યા પછી તેને બચાવવા માટે વારાફરથી ત્રણે મજૂરો અંદર પડ્યા અને પછી તેમના મોત થયા હોઈ શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, AMCના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે- હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને તપાસ બાદ આ અંગેની સંપૂર્ણ વિગત જાણી શકાશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VTo1ig

No comments:

Post a Comment

Pages