Latest

Monday, May 13, 2019

બોલો, 42% MD અને 38% ડોક્ટર્સ ખોટી રીતે તપાસે છે BP 🤔🤔😲

જો ડૉક્ટર્સને પણ ન આવડતું હોય તો  હવે ક્યાં જાય દર્દી

લખનૌઃ આમ તો બ્લડ પ્રેશર દરેક નાના-મોટા દવાખાનામાં જાવ એટલે માપવામાં આવે છે. પરંતુ આ બ્લડ પ્રેશર સાચુ માપ્યુ કે ખોટું તે કહેવું થોડું મુશ્કેલ છે. થોડા સમય પહેલા લખનૌમાં આવેલ દેશની પ્રતિષ્ઠિત કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી(KGMU)માં કરવામાં આવેલ એક સંશોધનાત્મક સર્વેમાં સામે આવ્યું છે કે 42% MD ડોક્ટરને ખબર જ નથી કે તેઓ ખોટી રીતે બ્લડ પ્રેશર માપે છે. જ્યારે 38% MBBS ડોક્ટર્સ પણ બ્લડ પ્રેશર સાચુ માપવામાં ભૂલ કરે છે. જોકે નર્સોમાં આ આંકડો થોડો ઓછો છે. 32% નર્સ એવી છે જેમને સાચી રીતે બ્લડ પ્રેશર માપતા નથી આવડતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બ્લડ પ્રેશરનું સાચું મોનિટરિંગ જરુરી

હાઈપરટેન્સના શિકાર દર્દીઓ માટે ખૂબ જ જરુરી છે કે તેમના બીપીનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવે. આ વાત રવિવારે KGMUના ફિઝિયોલોજી વિભાગના ડોક્ટર નરસિંહ વર્માએ યોજવામાં આવેલ હાઈપરટેન્શન અંગેના એક આયોજિત કાર્યક્રમ દરમિયાન કહી હતી. આ સપ્તાહને હાઈપરટેન્શન સપ્તાહ તરીક ઉજવવામાં આવે છે ત્યારે રવિવારે યોજાયેલ ડૉક્ટર્સ અને નર્સોને દર્શાવવામાં આવ્યું કે કઈ રીતે દર્દીનું સાચુ બ્લડ પ્રેશર માપવામાં આવે છે.

બ્લડ પ્રેશર માપતી વખતે ધ્યાનમાં રાખવાની વાત

ડોક્ટર નરસિંહે કહ્યું કે, ‘બ્લડ પ્રેશર માપવા પહેલા હાથ પરથી કપડાને હટાવી દો અથવા પાતળું કપડું રાખો. કપડું સમતલ હોવું જોઈએ. બ્લડ પ્રેશર જેનું લઈ રહ્યા હોવ તે દર્દી પગની આંટી મારીને બેઠો ન હોય તેનું ધ્યાન રાખો. સાથે જ દર્દીને ખુરશીનો ટેકો લઈને બેસાડો. જો ખુરશી પર ટેકા વગર દર્દી બેસે તો પણ બ્લડ પ્રેશરમાં 5-10 પોઇન્ટો ફરક આવની શકે છે. જે ઈલાજની દ્રષ્ટીએ ખૂબ જ વધારે ગણાય.’

શાંત દેખાતા વ્યક્તિ પણ હોઈ શકે હાયપર ટેન્શનના શિકાર

ડોક્ટર સિંહે કહ્યું કે, ‘સામાન્ય રીતે વધુ ગુસ્સે થતા લોકોને હાયપર ટેન્શનનો શિકાર માનવામાં આવે છે. જ્યારે ગુસ્સા અને હાયપર ટેન્શન વચ્ચે કોઈ સંબંધ નથી. શાંત દેખાત વ્યક્તિ પણ હાયપર ટેન્શનના શિકાર હોઈ શકે છે. જો તમને એક વસ્તુ બે દેખાતી હોય. આંખ સામે ઘણીવાર અંધારુ છવાઈ જતું હોય, ખૂબ પરસેવો આવતો હોય, પગમાં સોજા ચડી જતા હોય તો તે હાયપર ટેન્શનના લક્ષણો છે. જો તમારી ઉંમર વધારે છે, તમાકું કે દારુનું વ્યસન છે. વધારે પડતું વજન અથવા થાયરોઈડની સમસ્યા છે તો નિયમિત બ્લડ પ્રેશર તપાસ કરાવવું જોઈએ. ઘરે જ બ્લડ પ્રેશર માપવાનું મશીન રાખી શકો છો.’



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2W2RjtR

No comments:

Post a Comment

Pages