Latest

Saturday, May 11, 2019

ઓડિશામાં ફોની વાવાઝોડાના લીધે ₹50,000 કરોડનું જંગી નુકસાન

ઓડિશામાં ફોની છોડી ગયું નિશાન

પુરીઃ જ્યારે ઓડિશામાં 3 મેએ ફોની તોફાની વાવાઝોડું આવ્યું અને બધું વેરવિખેર થઈ ગયું. ચિત્તમાનો પરિવાર બાથરુમમાં છૂપાયેલો હતો. ચિત્તમા બહાર જ રહી ગઈ. તેમની છત તોફાનનું જોર સહન ના કરી શકી અને એક ટૂકડો આવીને તેમના પગ પર પડ્યો. લોહીથી લથપત, કણસતી ચિત્તમા બાથરુમમાં ગઈ અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહી. અમુક કલાકો પછી તોફાન ઠંડું પડી ગયું, ચિત્તમાને હોસ્પિટલ લઈ જવામાં આવી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

લોકોની સ્થિતિ ગંભીર

ડૉક્ટરોએ તેની સારવાર કરી અને જણાવ્યું કે તે એક મહિનામાં ચાલતી થઈ જશે. પણ તેના માલ સામાન અને નાવને બહુ નુકસાન થયું, તેને રિપેર કરાવવામાં અને ફરી દરિયો ખેડવામાં સમય લાગી શકે છે. ફોની બાદ ઓડિશામાં આવા કિસ્સા ઘણાં સાંભળવા મળશે.

41નાં મોત, 1.5 કરોડ લોકો અસગ્રસ્ત

ફોનીની ભયાનકતાથી બચવા માટે ઓડિશા સરકારે કરેલી કોશિશ બાદ ભારત જ નહીં દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ રહી છે. જોકે, આ બધું થયા પછી જે નુકસાનનું થયું તેનો આંકડો ચિંતાજનક છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 41 લોકોનાં મોત થયા જ્યારે 14 જિલ્લામાં 1.5 કરોડથી વધારેનું નુકસાન થયું છે. રાજધાની ભુવનેશ્વર અને પુરીના જિલ્લામાં વીજળી નથી અને ખોરાકની આપૂર્તિ પણ સારી રીતે નથી થઈ. ઘણી જગ્યાએ ખાવાનું ચોરી થવાની ખબરો સામે આવી છે.

50,000 કરોડના નુકસાનની આશંકા

લગભગ 5 લાખ ઘર, 34 લાખ પશુઓ અને 5,700 હોસ્પિટલોને નુકસાન થયું છે. સરકારના અનુમાન પ્રમાણે ફોનીથી લગભગ 50,000 કરોડનું નુકસાન થયું છે. ભુવનેશ્વરના હવામાન વિભાગના પૂર્વ ડિરેક્ટર સરત ચંદ્ર સાહુના જણાવ્યા પ્રમાણે વધારે નુસાન ખાસ કરીને ભુવનેશ્વરમાં પુરીથી 50 કિલોમીટર દૂર થયું છે, જેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું કે તોફાન દરમિયાન 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે ભારે નુકસાન થયું.

ચિલિકા તળાવનો ખતરો

ઓડિશાના બે ઈકોલોજિકલ હોટસ્પોટ્સ ચિલિકા તળાવ અને બાલુખંડ-કોણાર્ક અભ્યારણને ઘણું નુકસાન થયું છે. ચિલિકા તળાવ એશિયાનું સૌથી વધુ ખારાપાણી પાણીવાળુ તળાવ છે. સમુદ્રનું પાણી તેમાં આવવાથી તે ખતરનાક બની ગયું છે. તેની વન્યજીવન પર અસર પડશે. બલુખંડ-કોણાર્ક અભ્યારણમાં હજારો ઝાડ મૂળમાંથી ઉખડી ગયા છે.

રાજ્યને બેઠું થવામાં 10 વર્ષનો સમય લાગશે

ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર, બિશ્નુપદ શેઠીનું માનવું છે કે, રાજ્યને પોતાના પગ પર ઉભા થવામાં ઘણાં વર્ષોનો સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું, “તેમાં એક દાયકા જેટલો સમય લાગી શકે છે. લોકોનું જીવન પાટા પર લાવવાની પહેલી પ્રાથમિકતા છે. ઘણી જગ્યાઓ સાથેના સંપર્ક તૂટી ગયા છે, માટે નુકસાનનું સંપૂર્ણ આકલન કરવામાં સમય લાગશે.”

વીજળી પાછી આવવામાં એક મહિનો લાગશે

સરકાર હજુ લગભગ 80,000 કિલોમીટર લો ટેન્શન પાવર લાઈન અને 64,000 ટ્રાન્સફોર્મરોની વ્યવસ્થા કરી રહી છે. ઓડિશાના કેન્દ્ર ભુવનેશ્વર, કટક અને પુરીને ફરી ઉભું કરવાની કોશિશ કરાઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, કટક અને ભુવનેશ્વરમાં આગામી અઠવાડિયાથી વીજળી મળવાનું શરુ થઈ જશે પણ પૂરીના જિલ્લાઓમાં વીજળી આવવામાં એક મહિનાનો સમય લાગી શકે છે.

રેલવે સ્ટેશન પર ચાર્જ કરી રહ્યા છે ફોન

ભુવનેશ્વરના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ થાય છે. શહેરમાં કેટલાક વિસ્તોર છે જ્યાં વીજળી આવી રહી છે, જેમાંથી એક છે ભુવનેશ્વરનું રેલવે સ્ટેશન. અહીં લોકો માત્ર ટ્રેન પકડવા જ નહીં પણ ફોન ચાર્જ કરવા માટે પણ પહોંચે છે. પોતાનો ફોન ચાર્જ કરવાનો નંબર આવે તે માટે લોકો આખી-આખી રાત સ્ટેશન પર બેસી રહે છે. અહીં પેકેજ્ડ પાણી મળે છે જેના કારણે પણ લોકોને રાહત મળે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VuTd75

No comments:

Post a Comment

Pages