મેગ્નેશિયમ છે ખૂબ જ જરુરી

શરીરના વિકાસ માટે કેટલાક જુદા જુદા તત્વોની જરુર હોય છે. જેમાં કેલ્શિયમ, આયરન, જિંગ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે પ્રમુખ છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે 75 ટકા ભારતીયોમાં મેગ્નેશિયમ જેવા ખૂબ જ જરુરી તત્વની ઉણપ જોવા મળે છે. તમને નહીં ખબર હોય કે શરીર માટે મેગ્નેશિયમ કેટલું જરુરી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શરીરમાં 300થી વધારે બાયોકેમિકલ રિએક્શન માટે મેગ્નેશિયમ જરુરી છે. મગજ, હૃદય, આંખ, ઈમ્યુન સિસ્ટમ, નર્વ્સ સિસ્ટમ અને માંસપેશિયો પોતાનું કામ બરાબર કરે માટે મેગ્નેશિયમની જરુર છે. એવા અનેક ફૂડ છે જેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળે છે. તેના સેવનથી તમારા શરીરની મેગ્નેશિયમની ઉણપ પૂરી કરી શકો છો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કાજૂ છે ખૂબ ફાયદાકારક

રોજ 10-12 કાજૂના સેવનથી ખૂબ જ ફાયદો થાય છે. 28 ગ્રામ કાજૂમાં તમારી દૈનિક જરુરિયાતના 20% મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ અને આયરનની માત્રા પણ ભરપૂર હોય છે. કાજૂના સેવનથી તમારા શરીરમાં એનર્જી ભરપૂર માત્રામાં રહે છે અને થાક તેમજ આળસ દૂર રહે છે.
બદામ આરોગ્યનો ખજાનો

ડૉક્ટર્સનું માનીએ તો જો તમે રોજ 8-10 બદામ ખાવ છો તો તમારું શરીર લાંબા સમય સુધી આરોગ્યપ્રદ રહે છે. બદામ પણ મેગ્નેશિયમનો ખૂબ સારો સ્ત્રોત છે. 28 ગ્રામ બદામમાં તમારી દૈનિક જરુરિયાતના 19% જેટલું મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત તેમાંથી 6 ગ્રામ પ્રોટીન અને વિટામિન ઈ પણ ભરપૂર માત્રામાં મળે છે.
કોળાના બી

કોળાના બીને શેકીને તેમાં મરી-મીઠું નાખી ખાવામાં આવે છે. 28 ગ્રામ કોળાના બીમાંથી તમને તમારી દૈનિક જરુરિયાતનું 18 ટકા મેગ્નેશિયમ મળી શકે છે. તેમજ આ બીમાં ફાઈબર પર ભરપૂર માત્રામાં હોય છે. જેથી તમારા પેટ માટે પણ ફાયદાકારક છે. સાથે જ કોળાના આ બીને આયરનના સૌથી ઉત્તમ સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે.
અખરોટ

અખરોટનું સેવન તમારા મગજના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 28 ગ્રામ અખરોટમાં તમારા દૈનિક જરુરિયાતના 11 ટકા જેટલું મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે અને બીજા કેટલાક એન્ટિઓક્સિડેન્ટનો પણ અખરોટ ખૂબ સારો સ્ત્રોત છે.
પિસ્તા આંખો માટે ખૂબ સારા

પિસ્તાનું સેવન પણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. 28 ગ્રામ પિસ્તામાં તમારી દૈનિક જરુરિયાતના 8% મેગ્નેશિયમ મળે છે. આ ઉપરાંત પિસ્તામાં લ્યૂટિન અને જિયજેન્થિન નામના તત્વો હોય છે જે આંખ માટે ખૂબ ફાયદાકારક છે. જેની આંખો નબળી હોય તેમણે પિસ્તા જરુર ખાવા જોઈએ.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2LArYTY
No comments:
Post a Comment