વ્યક્તિની વ્યક્તિગત ઊર્જાની અસર

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની ઊર્જાનો વાસ હોય છે. જે સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ હોઈ શકે છે. વિજ્ઞાનનો નિયમ છે કે ઊર્જાનો નાશ કરી શકતો નથી. બસ તેને એકમાંથી બીજા સ્વરુપમાં પરિવર્તિત કરી શકાય છે. આ સિદ્ધાંત ત્યારે પણ લાગૂ પડે છે જ્યારે કોઈ બીજા વ્યક્તિ આપણો કે આપણે તેનો સામાન ઉપયોગમાં લઈએ છીએ. ત્યારે આપણી ઊર્જા તેનામાં અથવા તેની ઊર્જા આપણામાં હકારાત્ક્તા અને નકારાત્મક્તા લઈ આવે છે. વાસ્તુ મુજબ આ 7 વસ્તુને કોઈને ક્યારેય આપવી જોઈએ નહીં.
સાંજના સમયે ન આપો લસણ-ડુંગળી

સાંજના સમયે ક્યારેય તમારા પડોશી કે પછી કોઈને પણ ડુંગળી અને લસણ આપવા જોઈએ નહીં. આવું કરવાથી ઘરની બરકત ચાલી જાય છે અને આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે.
રુમાલ ક્યારેય ઉપયોગ ન કરો

મોટાભાગે જોવામાં આવ્યું છે કે ઘણા લોકો એકબીજાના રુમાલનો પ્રયોગ ન કરતા હોય છે. આવું કરવાથી બંને વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્ભવી શકે છે.
રુપિયા ન આપો ઉધાર

સૂર્યાસ્ત બાદ ભલેને કોઈપણ હોય કોઈ વ્યક્તિને રુપિયા ઉધાર આપવા જોઈએ નહીં. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
ઘરેણાનો પ્રયોગ

મોટાભાગે જોવામાં આવે છે કે મહિલાઓ પોતાના પોશાક સાથે મેચ થાય માટે બીજાના ઘરેણા પહેરે છે. આ વસ્તુને અશુભ માનવામાં આવે છે. તેનાથી તમારું આરોગ્ય તો ખરાબ થાય જ છે સાથે સાથે ગ્રહદશા પણ ખરાબ થાય છે.
મીઠાનો વાટકી વ્યવહાર સારો નથી

સૂર્યાસ્ત બાદ કોઈની સાથે મીઠાનો વાટકી વ્યવહાર ન કરવો જોઈએ. ગમે તેટલા સારા સંબંધ હોય પડોશી સાથે પરંતુ સભ્ય ભાષામાં ના પાડવામાં જ ભલાઈ છે.
પેન ન રાખો કોઇની

પેન એક એવી વસ્તુ છે જેને આપણે મોટાભાગે માગીને લઈએ છીએ અને પરત કરવાનું ભુલી જઈએ છીએ. જે રુપિયાની તંગીનીનું કારણ બની શકે છે.
અસફળતા મળશે

ઘડિયાળ અંગે કહેવાય છે કે તે તમારા સમય પર સારો અને ખરાબ પ્રભાવ પાડે છે. બીજાના ઘડિયાળ પહેરવાથી તે વ્યક્તિની એનર્જીની અસર થાય છે. તો દુર્ભાગ્યનો સામનો પણ કરવો પડી શકે છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2GTEc4D
No comments:
Post a Comment