Latest

Friday, May 17, 2019

સુરતઃ 82 વર્ષના વૃદ્ધાએ મોક્ષ મેળવવા સંથારો ગ્રહણ કર્યો

82 વર્ષના વૃદ્ધાએ સંથારો ગ્રહણ કર્યોઃ

સુરતઃ સુરતના જૈન સમાજમાં અત્યારે ઉત્સવનો માહોલ છે, કારણ છે 82 વર્ષના એક વૃદ્ધા. મોક્ષ મેળવવા માટે તેમણે પોતાની બધી જ ઈચ્છા, અણગમા ત્યાગીને સંથારો ગ્રહણ કર્યો છે. સંથારો એક એવી ક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાની જાતને મૃત્યુ માટે તૈયાર કરવા માટે ભોજન ગ્રહણ કરવાનું બંધ કરી દે છે. કંચન દેવી બૈદે 11મી મેથી ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

ચોથી પેઢીએ ગ્રહણ કર્યો સંથારોઃ

તેમના પુત્ર પુષ્પરાજ બૈદ (55 વર્ષ) બિઝનેસમેન છે અને પોતાના પરિવાર સાથે ઉધનામાં રહે છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, “ખૂબ હિંમતવાન વ્યક્તિ જ ભોજન-પાણી છોડી શકે છે. મારી માતા અમારા પરિવારમાં ચોથી પેઢી છે જેણે સંથારો ગ્રહણ કર્યો હોય. મારા પ્રપરદાદી, પરદાદી, દાદીએ પણ આ રીતે મોક્ષ મેળવ્યો હતો. મારી મમ્મીના દાદીએ પણ સંથારો ગ્રહણ કર્યો હતો.”

માતા માટે મોક્ષની પ્રાર્થના કરી રહ્યો છે પરિવારઃ

કંચન દેવીને બીજા બે પુત્ર છે. તેમના બીજા પુત્ર રાજ કુમાર બૈદ અમદાવાદમાં રહે છે અને સંજય કુમાર બૈદ વાપીમાં રહે છે. તેમના પૌત્ર અરહબ બૈદ અત્યારે અમેરિકામાં એન્જિનિયરિંગનો અભ્યાક કરી રહ્યો છે જ્યારે પ્રપૌત્રી ઈન્ફોસિસ માટે કામ કરે છે. પુષ્પરાજે જણાવ્યું, “દરેક ધર્મમાં કહેવાય છે કે શરીર નાસવંત છે અને તે ફક્ત આ દુનિયામાં સારા કર્મ કરવા માટેનું માધ્યમ છે. તો પછી વ્યક્તિએ સંથારાથી મોક્ષ મેળવવાનો પ્રયત્ન કેમ ન કરવો જોઈએ? અમે અમારી નજરો સમક્ષ સંથારા જોયા છે. આ અમારા માટે આસાન નથી પરંતુ અમને ખુશી છે કે મારી માતાને મોક્ષ મળશે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે મારી માતાના પવિત્ર આત્માને ક્યારે મોક્ષ મળશે અને તેમાં હવે વધુ સમય બાકી નથી.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2LOr8mY

No comments:

Post a Comment

Pages