Latest

Thursday, May 16, 2019

બોર્ડમાં 85 ટકા આવ્યા છતાં ખુશ ના હોય તો આ IAS અધિકારીનું 10-12નું રિઝલ્ટ જોઈ લો

માર્ક્સ પાછળ દોડતા લોકોને IASનો મેસેજ

તમારે 10મા અને 12મા ધોરણમાં કેટલા માર્ક્સ આવ્યા હતા? શું તમે ટોપ કર્યું હતું? માત્ર પાસિંગ માર્ક્સ લાવ્યા? ગમે તે હોય તેમ છતાં તમે આજે જીવનમાં કંઈકને કંઈ સારું કામ કરી રહ્યા હશો. પરંતુ તમારા આવા મોટા સપનાઓનો ભાર બાળકો પર ક્યારેય ન નાખશો, જેથી તે જિંદગીભર માર્ક્સ પાછળ જ દોડતા રહે. જીવનમાં તેઓ ઓછા માર્ક્સે પણ કંઈક સારું કરી શકે છે. તેનું ઉદાહરણ તમને આ જ દુનિયામાં મળી જશે. ઘણા લોકો છે જેમને 10મા અને 12માં ધોરણમાં 90 ટકા માર્ક્સ નથી આવ્યા, તેમ છતાં તેઓ આજે એક સારી લાઈફ જીવી રહ્યા છે. આવા જ એક વ્યક્તિનું નામ અવનીશ કુમાર છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

નાપાસ થયા બાદ વિદ્યાર્થીની આત્મહત્યા

હાલમાં જ છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક 18 વર્ષનો એક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો. આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી. જાણકારી મુજબ આ વિદ્યાર્થી પાછલા વર્ષે પણ પરીક્ષામાં નાપાસ થયો હતો. આ ન્યૂઝ જ્યારે અવનીશ કુમારે વાંચી તો તેઓ દુઃખી થઈ ગયા અવનીશ 2009ની બેચના IAS ઓફિસર છે, જેઓ હાલમાં છત્તીસગઢના કબીરધમા જિલ્લાના મેજિસ્ટ્રેટ છે. તેમણે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માટે એક ફેસબુક પોસ્ટ લખી, જેને તમારી વાંચવી જોઈએ.

શું લખ્યું છે પોસ્ટમાં?

અવનીશ પોતાની પોસ્ટમાં લખે છે, ‘ આજે મેં એક ન્યૂઝ પેપરમાં વાંચ્યું કે એક વિદ્યાર્થીએ પરીક્ષાના પરિણામમાં જોઈએ તેટલા માર્ક્સ ન મળતા આત્મહત્યા કરી લીધી. હું બધા વિદ્યાર્થી અને તેમના માતા-પિતાને આ અપિલ કરું છું કે તેઓ રિઝલ્ટને વધારે ગંભીરતાથી ન લે. આ માત્ર આંકડાનો ખેલ છે. તમને ભવિષ્યમાં ઘણી એવી તકો મળશે, જ્યાં તમને પોતાની ક્ષમતા બતાવી શકો છો.’

IASને આવ્યા હતા આટલા માર્ક્સ

આટલું જ નહીં, અવનીશ કુમારે પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે તેને દસમા ધોરણમાં 44.5 ટકા, બારમા ધોરણમાં 65 ટકા અને ગ્રેજ્યુએશનમાં 60.7 ટકા આવ્યા હતા. આમ છતાં તેમણે ખૂબ જ મુશ્કેલ મનાતી UPSCની પરીક્ષા પાસ કરી લીધી અને આજે તેઓ એક IAS અધિકારી છે.

કેમ લખી તેમણે આ પોસ્ટ?

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ બોર્ડે 11 મેએ પોતાના પરિણામ જાહેર કર્યા હતા. ઓછા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીો હતાશ ન થાય આ માટે અવનીશ કુમારે આ પોસ્ટ લખી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું, આજે ઘણા રસ્તાઓ છે, તકો આવતી રહે છે. સ્કૂલના પરિણામ તમારું ભવિષ્ટ નક્કી ન કરી શકે. તેમણે સમજવું પડશે કે પરિક્ષાનું પરિણામ છેલ્લો રસ્તો નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YtvyRu

No comments:

Post a Comment

Pages