બાબા દૂર કરશે મૂંઝવણઃ

જીવનમાં અનેક વાર આપણે એવી મૂંઝવણમાં ફસાઈ જઈએ છીએ કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. આપણી બુદ્ધિ આપણને કશું કરવા કહે છે અને આપણું મન કંઈક બીજું જ. આવામાં શું કરવું, શું ન કરવું, કોનું માર્ગદર્શન માંગવું જો એમાં તમે મૂંઝાતા હોવ તો અમારી પાસે તેનો ઉકેલ છો. જો તમે સાંઈ બાબાના ભક્ત હોવ તો બાબા તમને સવાલનો જવાબ આપશે, તમારા માટે જે સારુ હશે તે દિશામાં તમને દોરશે. જાણો બાબાને કેવી રીતે સવાલ પૂછી શકાય.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
આત્મા અને મનઃ

કહેવાય છે કે માણસનું મન માકડા જેવું હોય છે, એક જગ્યાએ સ્થિર નથી રહેતું. મગજથી ભૂલ થઈ શકે કારણ કે તેમાં અજ્ઞાન ભરેલુ છે. જ્યારે આત્મા ઈશ્વર સાથે જોડાયેલી છે અને તેને ખબર છે કે શું સાચું છે અને શું ખોટું. આત્માનો અવાજ નિષ્પક્ષ અને સાચો હોય છે. કારણ કે આત્મા પર માયાનો પરદો નથી હોતો.
પ્રશ્ન પૂછવાની રીતઃ

તમે મૂંઝવણમાં સાંઈ બાબાને પ્રશ્ન પૂછી શકો છો. તમારો જે પ્રશ્ન હોય તેને અનુસાર બે ચિઠ્ઠી બનાવો. દાખલા તરીકે, ત્રણ મહિનામાં જોબ મળી જશે? આ વર્ષે લગ્ન થઈ જશે? સાથે હા અને નાનો જવાબ લખીને બે ચિઠ્ઠી બનાવો. હવે આ ચિઠ્ઠી બાબાની પ્રતિમા કે તસવીર સામે વાળીને મૂકો. બે હાથ જોડીને મનથી બાબાનું ધ્યાન ધરો, તેમનું સ્તવન કરો અને બાબાને તમને સાચું માર્ગદર્શન આપવા પ્રાર્થના કરો. હવે એક ચિઠ્ઠી ઉપાડો. તમારા માટે જે સારુ હશે, તે ચિઠ્ઠીના જવાબ રૂપે બાબા તમને કહી દેશે.
આટલું ધ્યાન રાખોઃ

પ્રશ્ન ફક્ત એક જ વાર પૂછાવો જોઈએ અને તેનો જે જવાબ આવે તેને માની લો. સવાલ અયોગ્ય કે માત્ર કૂતુહલતાથી પૂછાયેલો ન હોવો જોઈએ. જીવનમાં તમે ખરેખર જ્યારે મોટી મૂંઝવણમાં મૂકાયા હોવ ત્યારે જ બાબાનું માર્ગદર્શન માંગો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2WlyjDY
No comments:
Post a Comment