Latest

Saturday, May 18, 2019

હૃદય રોગના દર્દી વધતા ફાર્મા ઈન્ડસ્ટ્રીને બખ્ખા, હાર્ટની દવાનું અબજોનું માર્કેટ

આટલા અબજનું માર્કેટઃ

કલ્પેશ ડામોર, નિયતિ પરીખઃ દેશમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતા તેની દવાઓના વેચાણમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2018-19માં હાર્ટની દવાઓના વેચાણમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો હતો. જાન્યુઆરીથી માર્ચના ગાળામાં ગ્રોથ લગભગ 14.8 ટકા જેટલો હતો. 2019-20માં પણ આ વધારો ચાલુ જ રહ્યો છે. એપ્રિલમાં કાર્ડિયોવાસ્ક્યુલર દવાઓનું વેચાણ 13.2 ટકા વધ્યું હતું. AIOCD AWACSના ડેટા અનુસાર આ માર્કેટ રૂ. 1492 કરોડનું છે. નાણાંકીય વર્ષ 2018-19માં ઓવરઓલ વેચાણ રૂ. 16523 કરોડનું હતું.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

હાર્ટના દર્દી વધ્યાઃ

નિષ્ણાંતોના મતે હાર્ટની દવાના વેચાણમાં વધારો એ સૂચવે છે કે હાર્ટના દર્દીઓની સંખ્યા પણ વધી છે. AIOCD-AWACSના ડિરેક્ટર અમીષ મસુરેકરે જણાવ્યું, “શહેરીકરણને કારણે લોકોની લાઈફસ્ટાઈલ બગડી ગઈ છે. જંકફૂડનું સેવન વધ્યું છે અને એક્સરસાઈઝનું પ્રમાણ ઘટ્યું છે. આને કારણે હૃદય રોગના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત હવે હૃદય રોગનું નિદાન પણ પહેલા કરતા વધારે સારુ થાય છે જેના કારણે વધુ કેસ નોંધાયા છે.”

લાઈફસ્ટાઈલને કારણે મહત્તમ દર્દીઃ

ઈન્ડસ્ટ્રીના એક સૂત્રએ જણાવ્યું, “મહત્તમ બીમારી ક્રોનિક સેગમેન્ટ, અર્થાત્ લાઈફસ્ટાઈલને કારણે થતી સમસ્યાના ક્ષેત્રમાં જોવા મળે છે. આ ઉપરાંક કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા રોગની દવાની ડિમાન્ડ માત્ર ઈન્ડિયામાં જ નહિ, આખી દુનિયામાં વધી રહી છે.”

આ કારણે પણ દવાનો વપરાશ વધ્યોઃ

ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન (FGSCDA)ના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું, “ગુજરાતમાં કુલ દવાના વેચાણમાંથી 30 ટકા હૃદયરોગની દવા છે. માર્કેટમાં કાર્ડિયાક ડ્રગના મોલેક્યુલ્સની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્ર સરકારની પોલિસી અને જનરિક દવાના પ્રચારને કારણે હૃદયરોગની દવા હવે દર્દીઓને પરવડે છે અને આથી જ મોટી સંખ્યામાં દર્દીઓ તેનો ઉપયોગ કરે છે.”



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2WZ3ogI

No comments:

Post a Comment

Pages