Latest

Wednesday, May 1, 2019

થાઈલેન્ડ જવાની ઈચ્છા હોય તો ઓક્ટોબર સુધીમાં પ્લાન બનાવો, ઘણા બધા રૂપિયા બચી જશે

વિઝાનો એક રૂપિયો નહિ ચૂકવવો પડેઃ

ઈન્ટરનેશનલ ટ્રિપ માટે થાઈલેન્ડ ભારતીયોમાં હૉટ ફેવરિટ છે. થાઈલેન્ડ જવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. થાઈ સરકારે વિઝા ઓન અરાઈવલની ફી માફી વધુ સાત મહિના સુધી લંબાવવાનું નક્કી કર્યું છે. આથી તમે 31 ઓક્ટોબર સુધી વિઝાની એક રૂપિયો પણ ફી ચૂકવ્યા વિના થાઈલેન્ડ ફરી આવી શકો છો.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

ફી માફીની સ્કીમ લંબાઈઃ

ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડે 15 નવેમ્બર 2018ના રોજ વિઝા ઓન અરાઈવલ ફી માફીની સ્કીમ બહાર પાડી હતી. શરૂઆતમાં તેની ડેડલાઈન 13 જાન્યુઆરી હતી, હવે તે વધુ લંબાવાઈને ઓક્ટોબર મહિનાના અંત સુધી કરી દેવાઈ છે. આ કારણે પ્રવાસીઓના 4400 રૂપિયા બચી જશે.

યાત્રીઓની સંખ્યા વધીઃ

આ સ્કીમ યાત્રીઓમાં ખાસ્સી પોપ્યુલર છે અને આખી જ સરકારે તે લંબાવવાનો નિર્ણય કર્યો છે. રેકોર્ડ્સ મુજબ વિઝા ફી માફ કરાતા થાઈલેન્ડમાં યાત્રીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ 83 ટકાનો વધારો થયો છે. અત્યારે ભારત અને ચીનને ગણતા 21 દેશ માટે વિઝા ઓન અરાઈવલ સ્કીમ છે.

ઈ-વિઝા પણ જલ્દી જ મળશેઃ

એક થાઈ અધિકારીએ એમ પણ જણાવ્યું કે ઈમિગ્રેશન બ્યુરોએ અત્યારે ઈ-વિઝા ઓન અરાઈવલ (eVOA) સ્કીમ લોન્ચ કરી છે જેને કારણે ઈમિગ્રેશન પ્રક્રિયા સરળ બને. નવી સર્વિસને કારણે VOA માટે એરપોર્ટ પર લાગતો સમય ઘટી જશે અને યાત્રીઓ માટે આ સમગ્ર પ્રક્રિયા ઘણી સરળ બની જશે. આથી જો થાઈલેન્ડ જવાની ઈચ્છા હોય તો આ યોગ્ય સમય છે, પ્લાન બનાવી જ લો.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2Leb90Z

No comments:

Post a Comment

Pages