Latest

Sunday, May 12, 2019

લ્હોર ગામમાં દલિત બહિષ્કારનો અંત આવ્યો પણ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી

દલિતોના બહિષ્કારનો આવ્યો અંત

મહેસાણાઃ કાડી તાલુકાના લ્હોર ગામમાં વરઘોડામાં ઘોડીએ ચડવાના મુદ્દે સામાજીક બહિષ્કારનો સામનો કરી રહેલા દલિતો સાથેના અન્યાયનો અંત શનિવારે સાંજે આવ્યો હતો. પરંતુ સ્થિતિ હજુ પણ ભારેલ અગ્ની જેવી હોવાનું સૂત્રોનું કહેવું છે. ગામના ઉચ્ચ જાતિના સભ્યોએ આ અઠવાડિયાની શરૂઆતમાં દલિતોના બહિષ્કારની જાહેરાત કરી હતી, કેમ કે એક દલિત યુવાને લગ્ન સમયે પોતાાનો વરઘોડો ઘોડા પર બેસીને કાઢ્યો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પોલીસે આપી છે ગામના અશાંતિ પ્રિય લોકોને ચેતવણી

આ અંગે મહેસાણાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે, લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર સમાપ્ત થઈ ગયો છે. અમે ગામના લોકોને ચેતવણી આપી છે કે જો તેઓ બહિષ્કાર ચાલુ રાખશે તો એસસી / એસટી અધિનિયમ હેઠળ તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. જ્યારે આ અંગે દલિત કાર્યકર ચિરાગ સોલંકીએ આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે ગામમાં બહિષ્કારનો અંત આવ્યો છે અને હવે ગામના દલિત સભ્યોએ પાણી તેમજ આવશ્યક વસ્તુઓ મેળવવાનું શરૂ થઈ દયું છે. “પરંતુ ગામની પરિસ્થિતિ હજુ પણ તંગ છે. હાલમાં સ્થાનિક પોલીસની એક ટીમ સાથે ગામમાં SRPની પણ એક કંપની છે.’ તેમ સોલંકીએ જણાવ્યું હતું.

દલિત કાર્યકરોનું કહેવું સ્થિતિ હજુ ભારેલા અગ્ની જેવી

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 16મી મેના રોજ પણ ગામમાં દલિત યુવતીના લગ્ન હોઈ અમે તેને લઈને ચિંતિત છીએ. દિલદ બહિષ્કાર મામલે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2WEokcW

No comments:

Post a Comment

Pages