Latest

Sunday, May 12, 2019

લોકસભા ચૂંટણીઃ વોટ આપવા ન પહોંચ્યા કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ, માગી માફી

ભોપાલઃ મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ રાજગઢમાં વોટ આપવા માટે નહોતા પહોંચ્યા. આ વિશે બપોરના સમયે દિગ્વિજયે કહ્યું કે તેઓ મતાધિકારનો પ્રયોગ કરવાનો પ્રયાસ કરશે પરંતુ મોડી સાંજે તેમણે મતદાન ન કરી શકવાની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ વોટ નાખવા માટે રાજગઢ નહીં જઈ શકે અને આ માટે માફી માગે છે.

દિગ્વિજયે કહ્યું કે આવતા વખતે તે પોતાનું નામ ભોપાલમાં રજિસ્ટર કરાવશે. રાજગઢ સંસદીય સીટ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પ્રભાવવાળી સીટ મનાય છે. આ કારણે જ દિગ્વિજય સિંહ આ સીટથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા પરંતુ પાર્ટીએ તેમને ભોપાલ મોકલી દીધા. કોંગ્રેસે અહીંથી મોના સુસ્તાનીને ઉમેદવાર બનાવ્યા છે. મોના સુસ્તાની દિગ્વિજય સિંહની વિશ્વાસુ મનાય છે. ભોપાલથી લગભગ 140 કિમી ઉત્તર-પશ્ચિમમાં અને રાજસ્થાન સાથેની બોર્ડર માલવા પઠારમાં સ્થિત રાજગઢમાં બીજેપીએ શિવરાજ સિંહ ચૌહાણને વિશ્વાસું અને હાલના સાંસદ રોડમલ નાગરની પાર્ટી કાર્યકર્તાઓના વિરોધ છતા ફરીથી ઉમેદવાર બનાવ્યા છે.

રાજનીતિ વિશ્લેષકોનું માનવું છે કે રાજગઢથી દિગ્વિજયના ઘણા નિકટના કાર્યકર્તા પણ ભોપાલમાં ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. આ કાર્યકર્તાઓ સાથે જો દિગ્વિજય રાજગઢ આવતા તો સ્થાનિક વોટરો પર કોંગ્રેસ પક્ષનો થોડા સકારાત્મક પ્રભાવ પડ્યો હોત. રાજગઢમાં લગભગ 15 લાખ મતદાતા છે. પાઠલા વર્ષ નવેમ્બરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આ લોકસભા વિસ્તારમાં 8 વિધાનસભા સીટોમાં કોંગ્રેસે પાંચ સીટ અને બીજેપીને બે સીટ પર જીત મળી હતી. જ્યારે એક અપક્ષ ઉમેદવારના ખાતામાં સીટ આવી હતી.

જણાવી દઈએ કે રાજગઢ સીટ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ રાધોગઢ વિસ્તારમાં પડે છે અને તે પોતે આ સીટ પરથી સંસદમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, જ્યારે તેમના ભાઈ લક્ષ્મણ સિંહ કોંગ્રેસની ટિકિટ પર 5 વખત અને બીજેપીના ઉમેદવાર તરીકે એક વખત અહીંથી ચૂંટાયેલા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JI3gyL

No comments:

Post a Comment

Pages