Latest

Thursday, May 30, 2019

કાજોલની મમ્મી તનુજાને થઈ આ બીમારી, કરવું પડશે ઓપરેશન

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે કાજોલનો પરિવાર

કાજોલનો પરિવાર આજકાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 27 મેના રોજ કાજોલના સસરા વીરુ દેવગણનું નિધન થયું. ત્યારબાદ 28 તારીખે કાજોલની મમ્મી તનુજાને પેટના દુખાવાની ફરિયાદને પગલે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કાજોલ મમ્મીને મળવા પહોંચી હતી. હવે વીતેલા જમાનાની એક્ટ્રેસ તનુજાની તબિયત વિશે નવું અપડેટ આવ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

75 વર્ષીય તનુજાનું કરવું પડશે ઓપરેશન

મીડિયા રિપોર્ટ મુજબ, 75 વર્ષની તનુજાને Diverticulitis નામની બીમારી થઈ છે. જેના કારણે તનુજાનું ઓપરેશન કરવું પડશે. તનુજાને ઈન્ફેક્શન થયું છે જેને diverticula કહેવાય છે. ઈન્ફેક્શનના કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. ખાસ કરીને જમતી વખતે પીડા થાય છે.

વિતેલા જમાનાના એક્ટ્રેસ તનુજા

2018માં પણ કાજોલની મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તનુજાને શ્વસન સંબંધિત બીમારી થઈ હતી. તનુજા મુખર્જી વિતેલા જમાનાની જાણીતી એક્ટ્રેસ છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં એક બાર મુસ્કુરા દો, પ્રેમ રોગ, પૈસા યા પ્યાર, હાથી મેરે સાથી, બહાર ફિર ભી આયેંગી, હમારી બેટી વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

વીરુ દેવગણના નિધનથી બિગ બી આઘાતમાં

આ તરફ વીરુ દેવગણના નિધનથી સમગ્ર પરિવાર દુઃખી છે. વીરુ દેવગણને અંતિમ વિદાય આપવા માટે ઘણા સેલેબ્સ આવ્યા હતા. વીરુ દેવગણે એક્શન સીન્સ ડાયરેક્ટ કરવા ઉપરાંત એક્ટિંગ, ડાયરેક્શન અને રાઈટિંગ પણ કર્યું હતું. વીરુ દેવગણના અંતિમ સંસ્કાર બાદ તેમને યાદ કરીને અમિતાભ બચ્ચને ઈમોશનલ બ્લોગ લખ્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YX8NG0

No comments:

Post a Comment

Pages