Latest

Tuesday, May 7, 2019

પ્રસૂતિ વખતે થતા મહિલાઓના મૃત્યુ પાછળ જવાબદાર છે આ કારણો

મેટરનલ ડેથના કારણો

જ્યારે કોઈ મહિલા ગર્ભાવસ્થામાં થતી કોઈ બીમારીના લીધે અથવા તો પ્રસૂતિ થયા બાદ 42 દિવસમાં મૃત્યુ પામે તો તેને મેટરનલ ડેથ (માતૃ મૃત્યુ) કહે છે. WHO અનુસાર, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન ઊભા થતા કોમ્પ્લિકેશન્સ મેટરનલ ડેથ માટે જવાબદાર છે. મહિલાઓ મેટરનલ ડેથના કારણો જાણી લે અને યોગ્ય સમયે સારવાર લે તો આ દર ઘટાડી શકાય છે. નીચે જણાવેલા કારણો મેટરનલ ડેથ માટે જવાબદાર હોઈ શકે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રક્તસ્ત્રાવ

પ્રસૂતિ બાદ સતત લોહી નીકળવું માતૃ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. શરીરમાંથી લોહી મોટા પ્રમાણમાં ઘટી જવાથી નુકસાન થાય છે. મોટાભાગ કારણોમાં રક્તસ્ત્રાવને કારણે મહિલાઓનું મોત થાય છે.

ઈન્ફેક્શન

મહિલાઓની પ્રસૂતિ વખતે સ્વચ્છતાનું ધ્યાન ન રખાયું હોય તો ઈન્ફેક્શનના કારણે મોત થઈ શકે છે. ઈન્ફેક્શન માટે વ્યક્તિગત સ્વચ્છતાની જાણકારીનો અભાવ પણ એક કારણ છે.

એનિમિયા

ઘણી મહિલામાં લોહીનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે તે એનિમિયાનો શિકાર બને છે. ઘણી વાર એનિમિયા મેટરનલ ડેથનું કારણ બને છે.

ગર્ભપાત દરમિયાન સમસ્યા

ઘણીવાર કેટલીક મહિલાઓને ગર્ભપાત કરાવવો પડે છે. ત્યારે ગર્ભપાતના વખતે થયેલા કોમ્પ્લિકેશનના લીધે પણ મહિલાનું મૃત્યુ થઈ શકે છે.

અન્ય બીમારીઓ

મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશર, યૂરિનમાં પ્રોટીન, અચાનક વજન વધવું, હૃદયની બીમારીઓ, હેપેટાઈટિસ વગેરે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બીમારીઓનો સમયસર ઉપચાર કરાવવામાં ન આવે તો મેટરનલ ડેથ થવાના ચાન્સ છે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2J5y0u0

No comments:

Post a Comment

Pages