અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની ધોળા દિવસે હત્યા કરતા ચકચાર મચી છે. અમદાવાદ જિલ્લાના બાવળામાં બનેલી આ ઘટનામાં મોતને ભેટનારી યુવતીના થોડા દિવસ બાદ લગ્ન હતા. યુવતી પોતાના લગ્ન માટે બ્લાઉઝ સીવડાવવા ગઈ હતી તે દરમિયાન જ હત્યારાએ તેની સાથે આવવા તૈયાર ન થયેલી યુવતીને ચાકૂના ઘા ઝીંકી દીધા હતા.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
બાવળામાં રહેતી મિત્તલ જાધવ નામની યુવતીને કેતન વાઘેલા નામનો શખ્સ એક તરફી પ્રેમ કરતો હતો. આ દરમિયાન મિત્તલના લગ્ન નક્કી થઈ ગયા હતા, પરંતુ કેતન તેનો પીછો નહોતો છોડી રહ્યો. મિત્તલ પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત હતી, અને તેના માટે તે સામેની સોસાયટીમાં બ્લાઉઝ સીવડાવવા માટે ગઈ હતી. આ દરમિયાન કેતન તેના બે સાથીદારો સાથે બાઈક પર આવ્યો હતો, અને તેણે મિત્તલને બાઈક પર બેસી જવા માટે કહ્યું હતું.
જોકે, મિત્તલ બાઈક પર બેસવા તૈયાર ન થતાં કેતને બળજબરી કરી હતી, પરંતુ મિત્તલ તાબે ન થતાં કેતને તેને ભરબજારમાં ચાકૂના ચાર ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી, અને આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા. લોકોનું ટોળું ભેગું થઈ કેતનની પાછળ પડતાં તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ચાકૂના ઘા વાગતા ગંભીર રીતે ઘવાયેલી મિત્તલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ વધુ પડતું લોહી વહી ગયું હોવાના કારણે તેની હાલત ગંભીર હતી. આખરે તેને વીએસ હોસ્પિટલ લાવવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો. હાલ પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે, પરંતુ ત્રીજો આરોપી હજુય ફરાર છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JaGekj
No comments:
Post a Comment